________________
અનુભવ ૨સ
પદ-૨૧ 茶茶茶茶茶茶
૧૨૬
“નિશાની દાં વતાવું રે”
સંસારમાં અનેકાનેક પદાર્થ તથા જીવરાશિઓ છે, તેમાં કેટલાક દૃષ્ટ છે તો કેટલાક અદૃષ્ટ છે. કેટલાયે પદાર્થનું કાર્ય, સૃષ્ટિ ૫૨ દૃશ્યમાન હોવા છતાં તે પદાર્થ અદૃશ્ય હોય છે.
જૈન પરિભાષામાં જેને દ્રવ્ય કહેવાય છે. ( જેવા કે ધર્માસ્તિકાય વગેરે પાંચ દ્રવ્યો ) તેનું કાર્ય જણાય છે પરંતુ તે મૂળદ્રવ્ય દૃષ્ટિગોચ૨ થતું નથી. તેવી રીતે જીવદ્રવ્યની બાહ્યક્રિયાઓ હલનચલન, શ્વાસોશ્વાસ, ખાવુંપીવું વગેરેથી શરીરધારી જીવ પોતાનું અસ્તિત્વ જાહેર કરે છે પરંતુ જીવને (આત્માને ) જોઈ શકાતો નથી. માટે જ અધ્યાત્મયોગી કવિશ્રી આનંદઘનજી મહારાજ ‘ગોડી રાગમાં' આ એકવીસમા પદમાં કહે છે,
निशानी कहा बतावुं रे, तेरो अगम अगोचर रुप - निशानी, रुपी कहुं तो कछु नहि रे, बंधे कैसे अरूप ?
पारुपी जो कहुं प्यारे, जैसे न सिद्ध अनूप... निशानी ।। १ ।।
શુદ્ધચેતના, ચેત્તનજી પાસે આવે છે તથા બન્નેનું મિલન થતાં એકરૂપ થઈ અભિન્નભાવે રહે છે. એ સમયે તેનું જે રૂપ છે તેનું વર્ણન થઈ શકે તેવું નથી. કવિ ચેતનને કહે છે કે, હે આત્મન્ ? તારું રૂપ જાણવું તથા સમજવું ઘણું જ મુશ્કેલ છે. તારી ઓળખાણ કેમ કરવી તેની કોઈ નિશાની છે ખરી ? તારું કોઈ ઠામ – ઠેકાણું છે ખરું ? અરે ! તારું સ્વરૂપ તો અલૌકિક છે. હે ચેતન ? તને શું હું પૌદ્ગલિક પદાર્થ સાથે સરખાવું? ના, કા૨ણ કે તે તો જડ છે. જડના ગુણધર્મો તારામાં શોધ્યા પણ મળતા નથી તેથી જડ સાથે સરખાવી ના શકાય.
શ્રી કુંદકુદાચાર્યે પંચાસ્તિકાયસંગ્રહમાં કહ્યું છે,
जीवा पुग्गलकाया धम्माधम्मा तहेव आगासं । अत्थ तम्हि यणियदा अणण्णमइया अणुमहंता ।। લોકમાં દ્રવ્ય છ પ્રકારનાં છે. તેમાં પાંચ દ્રવ્ય અજીવ છે. એક જીવ દ્રવ્ય જ જીવ છે. અજીવમાં જાણવાજોવાની શક્તિ નથી. અજીવને જાણનાર