________________
અનુભવ રસ
૧૨૨ પડ્યા છે. જેને આપણે જ્ઞાન, દર્શન અને ચારિત્ર કહીએ છીએ. જ્ઞાનરૂપ આંખોમાં અંજન છે. એક સુભાષિતકાર કહે છે,
अज्ञान तिमिरान्धानाम ज्ञानांजन शलाकया।
यक्षुरुन्मिलितं येन, तस्मै श्री गुरवे नमः।।
ગુરુદેવ જ્ઞાનરૂપી અંજન આંખમાં આંજી, અજ્ઞાન રૂપી અંધકાર દૂર કરે છે. શ્રદ્ધાભક્તિરૂપ દર્શન છે અને ચારિત્રરૂપ જીણી સાડી પહેરી છે. કુળવધૂ આવા ઉત્તમ શૃંગારથી પતિને પોતાનો કરીને રાખે છે. ચેતના આવો શૃંગાર શૃંગારભવનમાં જઈ કરી રહી છે. ત્રીજી કડી જુઓ:
सहज सुभाव चूरी मै पेनी, थिरता कंकन भारी। ધ્યાન કરવશ કરવી, પિય ગુનામીત...માધાર વધૂ...રૂા.
સ્ત્રીઓ સૌભાગ્યના ચિહ્નરૂપ હાથમાં કંગન પહેરે છે. જયારે તે સૌભાગ્યવતી હોય ત્યારે પતિના આનંદ માટે અધિક બંગડીઓ પહેરે છે, વળી ચૂડીઓનો અવાજ કર્ણપ્રિય પણ લાગે છે. વધારે ચૂડીઓ માણસની હસ્તિનો પણ ખ્યાલ આપે છે. તેવી રીતે શુદ્ધચેતના કહે છે કે મેં સહજ સ્વભાવરૂપ સૌભાગ્યના ચિહ્નરૂપ બંગડીઓ પહેરી છે. વળી જ્ઞાતાદૃષ્ટારૂપ મારો સ્વભાવ છે. જે ત્રણ કાળમાં મારાથી ભિન્ન થતો નથી. તે દરેક સ્થિતિપરિસ્થિતિમાં સાથે જ હોય છે. અહીં સુભાવ શબ્દ પ્રયોજયો છે. તેનો અર્થ છે આત્માનો સહજ પરમ પરિણામિક ભાવ. તે મારો ભાવ છે. જે હર હાલતમાં જીવની સાથે જ રહે છે. સહજ સ્વભાવરૂપ જ્ઞાતાદેષ્ટા ભાવ છે. વળી બે હાથમાં બે ચૂડીઓ છે તે જ્ઞાતાદેષ્ટારૂપ જીવની શક્તિઓ છે. તે આત્માથી કદીપણ અલગ સંભવી શકે નહીં. આવી બે ચૂડીઓની વચ્ચે શુદ્ધચેતનાએ સ્થિરતારૂપ કંગન પહેર્યા છે. સારા પ્રસંગે પહેરતા કંગન શોભારૂપ બને છે તથા કિંમત પણ થાય છે. તેમ આત્મા જયારે સ્વરૂપ રમણતામાં સ્થિરતા ધારણ કરે છે ત્યારે આત્માનંદમાં તરબોળ બની જાય છે. યોગ અને કષાયને કારણે આત્મપ્રદેશો જે પ્રકંપિત થાય છે. તે સ્વભાવ રમણતા થતાં સ્થિર બની જાય છે. જેટલી દૃઢતા પૂર્વકની સ્થિરતા તેટલી કમ મલિનતા ઓછી અને આત્મવિશુદ્ધિ અધિકા શુદ્ધચેતનાની દૃષ્ટિ એક ચૈતન્ય પ્રભુ સિવાય બીજે ક્યાંય નથી. શુદ્ધચેતનાને ધ્યાનરૂપ વડારણે ખોળામાં બેસાડી છે અને ગળામાં ગુણરૂપ