SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ અનુભવ રસ પદ-૨૦ “કાગ સુદ્દીન નારા વધૂ માન” જેના આધારે, જેના પાયા પર આખો સંસાર ઊભો છે તથા સાહિત્યક્ષેત્રમાં જેને રસોનો રાજા કહ્યો છે તે શૃંગારરસ છે. આ સાંસારિક રસ એકંદરે સર્વજનને પ્રિય હોય છે. સહુ જીવોને તે આકર્ષે છે. સંસારી જીવમાત્રમાં મૈથુન સંજ્ઞા છે. સંસારરસના કવિઓએ આ રસનું સાંસારિકભાવથી નિરુપણ કર્યું છે. ત્યારે અધ્યાત્મરસના કવિઓએ આ રસને અધ્યાત્મરૂપ આપેલું છે. શૃંગારરસ આખા યે સંસારને હચમચાવી નાખે એવો છે પરંતુ તે જો અધ્યાત્મમાર્ગે વળે તો જીવના અનાદિકાળના સંસારભાવને હચમચાવી નાખે. અરે! એટલું જ નહીં પણ ઉખેડી નાખે. કવિશ્રી આનંદઘનજી મહારાજે “ગોડી – આશાવરી રાગમાં આ વીસમા પદની રચના કરી છે. પદનો પ્રારંભ કરતાં કવિ કહે છે, आज सुहागन नारी, अवधू आज - मेरे नाथ आप सुघलीनी, વરીના નિક સંવારી... અવધૂ...૧ ચેતન, જયારે ચેતનાના પ્રાંગણમાં આવે છે ત્યારે ચેતના હર્ષઘેલી બની જાય છે કારણકે જે અનંત અનંત કાળથી પતિ વિરહિણી હતી. બારીએ અને ગોખે બેઠી બેઠી તે રાત દિવસ પતિની રાહ જોતી હતી. પોતાની આંતરિક વેદનાના સંદેશા સુમતિ, સમતા અને અનુભવ સાથે વારંવાર પતિને મોકલતી હતી એવી એ ચેતનારાણી આજે પોતાના પુરુષાર્થની સફળતા દેખતાં આનંદવિભોર બની ગઈ છે. શુદ્ધચેતના નાચતી, કૂદતી, ગાતી ફરે છે આજે હું ભાગ્યશાળી બની ગઈ. કારણકે આજે તો ખુદ મારાદેવે આવી મારી સંભાળ લીધી. તેથી મારું સૌભાગ્ય વૃદ્ધિ પામ્યું છે. હું સૌભાગ્યવતી તો ત્રણેય કાળમાં છું જ પણ આજે એ સૌભાગ્ય પ્રગટ થયું છે. હે આત્મસ્વામી! આપના અસંખ્યાત પ્રદેશમાં હું વ્યાપેલ છું પણ જેમ મલિન કપડાંને પાણી અને સાબુ બરાબર લગાવવાથી સ્વચ્છ બની જાય છે, તેમ હું આપની સહચારિણી આપના ચરણની ચરણસેવિકા
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy