________________
૧૧૧
અનુભવ રસ
સુમતિ કહે છે કે હે નાથ ! ચેતનાને આપ પોતે જ સમજાવો, વચ્ચે કોઈ દલાલ રાખવાની જરૂર નથી. વેપા૨ી દલાલ મારફત માલની ખરીદી અને વેચાણ કરે છે પણ તમારે તો પ્રેમનો સોદો કરવો છે. પ્રેમ એ કોઈ બજારુ વસ્તુ નથી કે જેથી દલાલની જરૂર પડે. પ્રેમ એ તો અંતઃકરણનો વિષય છે. કોઈપણ સ્ત્રી પોતાની અને પતિની વચ્ચે ત્રીજી વ્યક્તિને ઈચ્છતી નથી. પોતાના હૃદયના ભાવો તે પતિ સિવાય બીજે ક્યાંય પ્રગટ કરતી નથી. માટે હે ચેતન ! ચેતનાને મનાવવા હવે તારે જ જવું પડશે. તે તો સતી સ્ત્રી છે. તે કોઈ વેશ્યા કે કુલટા સ્ત્રી નથી કે તેને વચ્ચે દલાલ રાખવો પડે. સતી સ્ત્રી તો પતિને ઈચ્છતી હોય છે. પતિના મનાવવાથી તે માની જાય છે. પ્રેમનો સોદો ન હોય, પ્રેમની ભાષા પ્રેમી જ જાણે. જે વ્યક્તિ સંસા૨વાસનાથી ભરેલી હોય તે પણ જો કુળવાન હોય તો પ્રેમવાર્તા પતિ સિવાય બીજી કોઈ વ્યક્તિ સાથે કરતી નથી ત્યારે આ તો વિષયવાસનાથી રહિત અવિકારી ભાવોનો પ્રેમ છે. વીતરાગભાવોની ઉત્તમ વાતો તો જેની ભૂમિકા હોય તેની સાથે જ
થાય.
એક કવિએ કહ્યું છે,
.
" यह मीठा प्रेमका प्याला कोई पीगा किस्मतवाला'
"
આત્મપ્રેમનો મધુ૨૨સ પૂર્ણ પ્યાલો કોણ પી શકે ? યોગ્યતા સિવાય પીવાય નહીં અને પીવે તો પચે પણ નહીં માટે આ પ્રેમ પરીક્ષાને કોઈ નથી જાણી શકતું તો માણવાની તો વાત જ ક્યાં રહી ? પ્રેમ એ જોવાની કે બતાવવાની વસ્તુ નથી પણ અનુભવની ચીજ છે. જયારે એક બીજા સામસામે મળે છે ત્યારે તેની આંખોમાં અને હૃદયમાંથી પ્રેમનો સ્ત્રોત એકાએક વહેવા લાગે છે.
હવે ચેતનાને મનાવવાનો માર્ગ સુમતિ ! ચેતનને ક્યો બતાવે છે તે કવિ બીજી કડીમાં કહે છે.
,
दो बातां जीयकी करो रे, मेटो मनकी आंट... । તનળી તપત બુલ્લાએ પ્યારે, વવન સુધારસ છાંદ... રિસાની ર જયારે ચેતન શુદ્ધચેતનાને મનાવવા ઉત્સુક થયો ત્યારે સુમતિ, ચેતનને કહે છે કે, હે ચેતન સ્વામી! શુદ્ધચેતનાને સમજાવવી તે કોઇ