________________
૧૦૧
અનુભવ ૨સ
માણેક, પન્ના વગેરે ૫રખનાર ઝવેરી રત્નપારખુ કહેવાય છે. પણ દરેક રત્ન એક સરખી કિંમતનું ન હોય, કોઈની કિંમત હજાર, તો વળી કોઈ લાખનું, દુનિયામાં કિંમતીમાં કિંમતી વસ્તુ રત્નો છે, પણ તેથી પણ મૂલ્યવાન ચેતન છે. આ ચેતનલાલની તો કોઈ કિંમત આંકી શકાય જ નહીં, એ તો અણમોલ છે. જ્યાં બે વસ્તુ હોય ત્યાં ઊંચ-નીચ જોઈ તેની કિંમત આંકી શકાય છે પણ મારો લાલ તો એકનો એક છે, તેથી તેની કોઈપણની સાથે સરખામણી કરી શકાય નહીં અને એની કિંમત આંકી શકાય નહીં. માણેક તો મસ્તકે, કાને, હાથે ગળે, કમરે એમ વિવિધ રીતે શરીર પર ધારણ કરી શકાય છે. પણ તેને હૃદયની અંદર ધારણ કરી શકાતું નથી આ કારણથી તે પરંતર છે પણ મારો નાથ તો હૃદયમાં જ વસી રહ્યો છે તેથી કોઈ ૫રંતર નથી. વળી જેનું હૃદયથી ૫રંતર ન હોય તેનું મૂલ્ય પણ કોણ આંકી શકે ?
માણેકનું ભિન્ન ભિન્ન તેજ હોવાને કા૨ણે તેની કિંમત પણ ભિન્ન ભિન્ન થાય છે ત્યારે મારા આત્મરૂપ તેજની કઇ સીમા નથી માટે તે અમુલ્ય છે.
કવિએ અહીં ઝવેરાતની વાત કરી છે. હીરા, માણેક વગેરેમાં ડાઘ, લીસોટો વગેરે હોય તો તેનું તેજ ઓછું હોય અને કિંમત પણ ઓછી અંકાય, કવિના જમાનામાં રત્નોના આવા ડાઘ માટે ‘પરંત૨’ શબ્દનો પ્રયોગ થતો હશે આજે ‘જિમ્’, ‘કચુ’ વગેરે શબ્દો વપરાય છે પણ અહીં તો તદ્ન સ્પષ્ટ થાય છે કે આત્માના અનંત ગુણોમાં એક એક ગુણ અમૂલ્ય છે. જે ગુણ જડમાં ક્યાંય જોવા મળતા નથી. વળી શુદ્ધદશામાં રહેતા આત્માનું તેજ નિરંતર એક સરખું જ રહે છે. તેનામાં ચન્દ્રકળાની જેમ વધઘટ થતી નથી. તે સૂર્યસમાન હંમેશાં ઝળહળતી જ રહે છે. આ અમૂલ્ય ગુણોવાળા રત્નોના ભંડા૨ની કિંમત કહી પણ થઈ શકે નહીં, ઓજવી તેજસ્વી એવા મારા ચેતનરાજનું હું એક – બે પાંચ કે પચ્ચીસ ભવથી નહિ પણ અનાદિકાળથી અનંત ભવથી રાહ જોઈ રહી છું તેને પામવા હું અત્યંત ઉત્સુક છું માટે જ કવિ ત્રીજી કડીમાં કરે છે,
पंथ निहारत लोथणे, दग लागी अडोला...।
શ્રેળી સુરત સમાધિમેં: મુનિ ધ્યાન જ્ઞતોળા...।। નિશવિના રૂ।