SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ રસ ૧૦૦ ત્યાં ચેતનનું જ સામ્રાજ્ય છે. પરંતુ ચેતન, અત્યારે ભૌતિક જગતનો વાસી બની ગયો છે. તેને પોતાનો દેશ કે ઘર યાદ પણ આવતું નથી. ચેતનની આ દશાથી ઘરની વ્યક્તિઓ દુઃખી છે છતાં ચેતનની શાન ઠેકાણે આવતી નથી માટે જ ચેતના કહે છે કે હે પ્રભુ! હે ચેતન ! હવે મહેરબાની કરો, સ્વધામ સિધાવો. મારા મંદિરનાં સોપાન પર બેઠી બેઠી હું તમારી રાહ જોઉં છું. પ્રભુ! આત્મમંદિરના વધારે નહીં ફકત ચૌદ જ સોપાન છે. આપ અહીં પધારો તો હું નીચે સુધી આપનું સ્વાગત કરવા આવું. કવિશ્રી ઉદયરત્ન શાંતિનાથ પ્રભુના સ્તવનમાં આવો જ ભાવ વ્યક્ત કરતા કહ્યું છે, મહારે તો તુ હિ જ એક, ત્યારે મુજ સરીખા અનેક, હું તો મનથી ન મેલું માન, તમે માન રહિત ભગવાન.. સુણો શાંતિ જિણંદ સોભાગી. ૧ પ્રભુને ભક્તોનો કોઈ પાર હોતો નથી પણ ભક્તોને ભગવાન તો એક જ હોય છે. ચેતનને પણ મોહદશાને કારણે દુવૃત્તિઓ રૂપી અનેક સ્ત્રીઓ ઘેરી વળે છે. ચેતન તે બધાં વચ્ચે મુંઝાય છે ને પછી ફસાય છે. મોહ, મમતા, આશા, તૃષ્ણા, ઈર્ષા, અભિલાષા રૂપી અનેક સ્ત્રીને તે વશ બની જાય છે પણ અજ્ઞ ચેતનને ખ્યાલ નથી કે આ બધી સ્ત્રીઓ તો ચંચલ છે તે એક ને જ વફાદાર રહેનારી નથી. તેઓ અનેકને લલચાવનારી અને ફસાવનારી છે. આવી કામણગારી સ્ત્રીઓને પનારે પડેલો પુરુષ તો દુઃખી થઈ જાય છે. ચેતના કહે છે કે, હે ચેતન! હું તો પડછાયાની માફક તમારી સાથે રહેનારી સતી સ્ત્રી છું. હું વિરહમાં ઝૂરતી રહીશ પણ અન્ય પુરુષનો પડછાયો સુદ્ધાં નહીં લઉં, કારણ કે, તમારું મૂલ્ય શું છે તે મને સમજાયું છે. મારે મન તો તમે અણમોલ રતન છો. આ પ્રકારની વિનંતીથી ચેતનની આત્મદશા ધીરેધીરે સુધરવા લાગે છે. જેથી સાધ્યનું સામીપ્ય થાય છે અને દૂરથી દર્શન થાય છે. ચેતના, ચેતન સાથે મનોમન શું વાત કરે છે તે માટે કવિ કહે છે, નવદરી મોન કરે નાના, મેરા નીતિનોના... બીજેપCષર વો નદી, સવગ વય મતા?...નિશકિનારા ઝવેરીનો સ્વભાવ છે કે રત્નોની પરખ કરી મૂલ્ય કરે. હીરા,
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy