________________
૯૯
અનુભવ ૨સ
નિશદિન ગોર તારી વાતડી, ઘરે માવોને ઢોસા” ભૌતિક દુનિયાથી દૂર અને આત્મભાવોમાં મગ્ન એવા શ્રી આનંદઘનજી મહારાજે આત્મા અને શુદ્ધચેતનાને પતિ-પત્નીનું રૂપક આપી આ પદમાં વિરહિણી સ્ત્રીની વિરહવ્યાકુળતાનું આબેહૂબ ચિત્ર રજૂ કર્યું છે.
પોતાનો પતિ ઘરે અકારણ મોડો પહોંચે તો તેની સ્ત્રીની મનોવેદના વધી જતી હોય છે તે જ પ્રમાણે શુદ્ધચેતનાનો પતિ ચેતન અનાદિકાળથી ચેતનાને દ્વારે આવ્યો નથી એને કારણે ચેતનાની વિરહદશા કેવી હશે? - ચેતનને સમજાવવા ચેતનાએ અનેક માર્ગ શોધ્યા અને લીધા. છેવટે એણે અનુભવ મિત્રનો સાથ લીધો. ચેતનાને વિશ્વાસ હતો કે અનુભવના કહેવાથી ચેતન જરૂર સન્માર્ગે વળશે જ તેથી હવે ચેતના, ચેતનની રાહ જોવા લાગી છે. તેથી શ્રી આનંદઘનજી મહારાજ “મારુ રાગમાં” આ સોળમા પદમાં કહે છે,
निशदिन जोउ तारी वाटडी, घरे आवोने ढोला...। - મુ સરવી તુજ નાથ હૈ, મેરે તૂ દી મનોના નિશદિના શા
હે નાથ! હું તમારી રાત – દિવસ રાહ જોઉં છું. તમારે આવવાના જે જે માર્ગ છે તે માર્ગ પર મારી અનિમેષ દૃષ્ટિ મંડાયેલી જ રહે છે. મને ખબર નથી કે તમે મારે મંદિર કયે રસ્તેથી પધારશો? તેથી દરેક માર્ગ પર મારી આંખો ફર્યા જ કરે છે. હે પ્રભુ! હવે કૃપા કરો અને મને પાવન કરો.
આ જગત છ દ્રવ્યોનું બનેલું છે. તેમાં પાંચ દ્રવ્યો તો અજીવ સ્વરૂપ છે. માત્ર એક ચેતન જ જીવ સ્વરૂપ છે. છ યે દ્રવ્યોને જાણનાર તથા જોનાર એક જીવ દ્રવ્ય જ છે. જગતની રંગભૂમિ પર પાત્ર ભજવતી જીવસૃષ્ટિનો વિચાર કરતાં નવ તત્ત્વ સમજાય છે. તેમાં પ્રથમ જીવતત્ત્વ છે. તેને આધારે જ બાકીનાં આઠ તત્ત્વો છે. એક જીવ સ્વરૂપ ચેતન ન હોય તો જગત, જગત તરીકે રહે જ નહીં, તેથી જ્યાં જ્યાં નજર કરીએ