SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ રસ કરે છે. તેમ જ્ઞાન પ્રભાત થતાં ચેતન ચેતનાનો સંબંધ થાય છે અને આનંદની સરવાણી ફૂટે છે. કવિ બીજી કડીમાં કહે છે. कैली चिटुंदिसि चतुरा भावरुचि, मिट्यो भरम तम जोर...। કાપવી પોરી બાપ દી નાનત, સૌર વહત ચોર...મેરે રા જેમ સૂર્યોદય થતાં સૂર્યની કાંતિ ચારે બાજુ ફેલાઇ જાય છે તેમ જ્ઞાનભાનુનો ઉદય થતાં વિવેકરૂપ કાંતિ ચારે બાજુ ફેલાઈ ગઈ છે કારણે જગતના સર્વ પદાર્થો યથારૂપ જણાય છે તથા જડ પદાર્થોના ગુણધર્મો અને ચેતનના ગુણધર્મોનું ભેદવિજ્ઞાન થાય છે. આજ સુધી તન, ધન, પરિવારને તે પોતાના માનતો હતો, અજ્ઞાન અંધકાર દૂર થતાં મોટામાં મોટો ભ્રમ ભાંગી ગયો તેથી સત્યતત્ત્વની પ્રતીતિ થઈ. ચેતનના ઘરમાં સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ ત્રિરત્નની ચોરી થઈ ગઈ. ચેતન, ચોરને શોધતો હતો પણ મળતો ન હતો. જ્ઞાનભાનુના ઉદયે ચોર પકડાઈ ગયો. હવે ચેતનને સમજાયું છે કે મારી વસ્તુ તો મારી પાસે જ છે પણ અજ્ઞાન અંધકાર છવાઈ જતાં આત્મઘરમાં ત્રિરત્નની ચોરી થાય છે અથવા ચેતન પોતાના સ્વભાવરૂપ ઘરને છોડી પર ઘરે મોજ માણવા જાય છે ત્યારે તેના ઘરને રેઢું ભાળી કર્મ ચોર ચોરી કરવા આવે છે પણ સત્યજ્ઞાન વડે ચોર પકડાઈ જાય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે, “ગપ્પા માનમિત્ત ૨ ડુપૂકિય સુપgિ": આત્મા જ આત્માનો મિત્ર છે અને આત્મા જ આત્માનો શત્રુ છે દુપથ પર જતાં આત્મા શત્રુ છે ને સુપથ પર જતાં આત્મા મિત્ર છે. કર્માદિ શત્રુઓને ઘરમાં રાખનાર પણ હું આત્મા જ છે. કર્મનો કરનાર પણ હું જ છું, આ પ્રકારનું યોગ્ય જ્ઞાન થતાં દૃષ્ટિ અને દશા બધું બદલાઈ જાય છે. અજ્ઞાનને કારણે "यथा शुत्किकायामिदं रजतमिति" २ રજ્જમાં સર્પ અને છીપમાં ચાંદી દેખાય તેમ પરમાં આત્મબુદ્ધિ ૧ જીવન શ્રેયસ્કર પાઠમાલા ઉ. સૂ. આ ૨૦ ગાથા ૩૦ પૃ૪૭ ૨. જીવન શ્રેયસ્કર તત્ત્વાલોક પં. શોભાચંદ ભારિલ્લ સૂત્ર ૧૦
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy