SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩ અનુભવ રસ સંન્યાસી, જોગ, જતિ, ફકીર વગેરે પણ આ તૃષ્ણાથી મુક્ત નથી. કોઈ પોતાનો પંથ ફેલાવવામાં, તો વળી કોઈ ભક્તોની ભીડમાં ભૂલા પડયા છે. કોઈ જગકલ્યાણની કામનાનો દંભ કરે છે તો કોઈ પદપ્રતિષ્ઠાની પ્રાપ્તિમાં પ્રયત્નશીલ છે. આ બધાં કાર્યોમાં વક્રગતિવાળી આ તૃષ્ણાને કોઈ ઓળખી શકતું નથી. માટે હે અનુભવ ! તું ચેતન સ્વામીને સમજાવ, તેનાં આંગણામાં મીઠી નદી વહે છે. અરે ! ઊંબરામાં જ કલ્પવૃક્ષ ખીલ્યું છે પછી બહાર ભટકવાની શી જરૂર છે ? જો તે સમતાસાગરમાં ડૂબી જશે તો જરૂર આનંદઘનપદ ધા૨ણ ક૨શે તથા સર્વત્ર આનંદ- મંગળના જીત નગારા વાગશે. આ પદમાં કવિએ સમતાની વ્યથાનું હૃદયસ્પર્શી આલેખન કર્યું છે. સમતાએ સજ્જનતાનો સ્વાંગ સજ્યો છે ત્યારે માયામમતામાં દુર્જનતાની સીમા નથી. ચૈતન્યદેવ ! ૫૨ પરિણતિમાં મસ્ત છે. સમતા, અનુભવને વિનંતીના સૂરમાં કહે છે કે આ પદમાં સ્વ-૫૨ પરિણતિનું ભેદજ્ઞાન કરાવે છે. અનુભવને સંદેશવાહક બનાવી સમતા, ચેતનને સ્વઘર તરફ વાળવા સતત પુરુષાર્થ કરે છે. ત્યાગ, વૈરાગ, સંયમ અને અધ્યાત્મને માર્ગે જનારાઓ આરંભદશાના બાળજીવો માટે વિભાવદશાનું જો વ૨વું ચિત્ર દોર્યું હોય તો તેનાથી દૂર રહેવાની વાત તેમાં મનમાં ઠસી જાય છે. 頭曲
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy