SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૮s અનુભવ રસ રાંકડો બની જાય છે. માયા, આ જગતનાં સર્વ પ્રાણીઓને વશમાં રાખે છે. તે પોતાની શક્તિ વડે દરેક જીવોને ચારગતિમાં રખડાવે છે. દરેક જીવ પોતાના ભૌતિક સુખ માટે મથ્યા કરે છે અને તેમ કરતાં પોતે જ દુઃખમાં ફસાય છે. માયા એટલે કપટ અથવા અન્યને છેતરવાની પ્રકૃતિ. ધર્મના બહાના નીચે થતી માયાચારી તે મહાપાપ કહેવાય છે અને જેમાં મારાપણાની બુદ્ધિ હોય તે મમતા. મમતા, મોહરાજાની પુત્રી છે તે બધા જીવોને ફસાવવાનું કામ કરે છે. સર્વદર્શનકારોએ માયા, મમતાને જીવને દુર્ગતિમાં લઈ જનાર તરીકે ઓળખાવી છે. માયા-મમતા! ચેતનરાજની પટરાણીઓ છે પણ તે કોણ છે? કયાંની રહેવાસી છે? તેનું કુળ શું છે? તેની પૂરી તપાસ ચેતનજીએ કરી હોય તેમ લાગતું નથી. તેથી જ તેઓ અવનવાં રૂપ કરી ચેતનને આકર્ષે છે. મમતા ક્યારેક રાગરૂપે, તો ક્યારેક લાગણીરૂપે, ક્યારેક ભક્તિરૂપે તો ક્યારેક શક્તિરૂપે પોતાની મોહજાળ બિછાવે છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવો પર મમતાનું સામ્રાજય છવાયેલું છે. એકેન્દ્રિય જીવોમાં પરિગ્રહવૃત્તિ છે. વનસ્પતિ, આ વૃત્તિને કારણે પાંદડાં વચ્ચે ફળ છૂપાવવા પ્રયત્ન કરે છે. દેવો પણ પરિગૃહવૃત્તિથી પ્રેરાઈ એકબીજા સાથે યુદ્ધ કરે છે. આ રીતે સર્વ સંસારીજીવો વિવિધ રૂપે મમતાના દોરથી બંધાયેલાં છે. સમતા! અનુભવ મિત્રને આ વાત કરી રહી છે. ચેતનના દુઃખે દુઃખી થનારી સમતા પોતાની કરમકહાણી આગળ વર્ણવી રહી છે. તેના શબ્દોમાં આપણે જોઈએ. रीज परे वांके संग चेतन, तुम क्युं रहत उदासी..। વ8ળ્યો ન જાય Swiત તો, તો નૈ હોવત હાંફી... અનુમવા ૨ા આ કડીમાં અનુભવ ત્થા સમતાનો વાર્તાલાપ છે. અનુભવ સમતાને કહે છે કે હે સમતા! તું મને ચેતન માટે કહે છે કે ચેતન, માયા – મમતાના રંગે રંગાઈ ગયો છે. તે તેનાં કર્મોથી તથા ચાલબાજીથી અંજાઈ ગયો છે. તેના સંગથી તેને આનંદ આવે છે તેથી તે જલ્દીથી વિવેક પણ ચૂકી જાય
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy