________________
9
અનુભવ રસ
શ્રદ્ધેય શ્રી રાકેશભાઈ, જેમણે ડો. રમણભાઈ પાસે પોતાની Ph. D. નું કામ બાકી રખાવીને મારા માટે સમય ફાળવતા હતા, જેઓ હંમેશાં એમ કહેતાં કે મહાસતીજી ને સાધ્વીજીનાં નિયમો પાળતા, વિહાર કરતાં ભણવાનું છે માટે એમનું કામ પહેલાં લો. એ સાથે એમનાં નવા કોમ્પ્યુટરમાં મારી ૧, ૫૦૦ પાનાની થીસીસની ૬ કોપી પહેલ – વહેલી કઢાવી આપી. એમની આવી વિશાળતા અને પ્રેમભરી લાગી માટે હું એમની સદાય ઋણી રહીશ.
સંસા૨૫ક્ષની વાત કરૂં તો મારા જ્ઞાનસત્રની શરૂઆતથી બધી જ જવાબદારી ઉપાડનાર મારા ધર્મનાં ભાઈ સુબોધભાઈ ઘાટલીઆ તથા તેમનાં પત્ની સરોજબહેનનો મુખ્ય ફાળો રહેલો છે. એમણે જેટલો ભોગ આપ્યો છે તે દરેક પ્રસંગ મારી સ્મૃતિમાં અકબંધ છે. યાદ કરીને દરેક પ્રસંગને ટાંકુ તો એક આખી પુસ્તિકા બની જાય તેમ છે. અભ્યાસ, અભ્યાસક્રમ, બોમ્બે બોર્ડની તપાસ, કોલેજમાં ૫૨મીશન, એડમીશન એ તમામે તમામ જવાબદારી તેમના ૫૨ રહી છે. એમનાં બાળકો માટે એમણે જે તસ્દી નથી લીધી તે એમણે મારા માટે લીધેલ છે. નવી-નવી જગ્યાએ વિહાર મુજબ પરીક્ષાનાં સેન્ટર મેળવવા, પ્રોફેસરોનો સંપર્ક કરવો, એ દરેક કાર્યો તેમણે કરેલ છે. એમનો જેટલો આભાર માનું એટલો ઓછો છે.
ડો. રમણભાઈ શાહ, જેમણે મને આ વિષયનું સૂચન કર્યું તથા શરૂઆતમાં ત્રણ વર્ષ મારા માર્ગદર્શક રહ્યાં. ત્યારબાદ તેમની નાદુરસ્ત તબિયતનાં હિસાબે આ કામ ડો. કલાબહેન શાહે ઉપાડી લીધું. આ બંનેની હું ખૂબ આભારી છું.
હું આભારી છું, મુલુંડ જૈન સ્થાનકવાસી સંઘ જ્યાં આગમ દિવાકર પૂ. જનકમુની મહારાજની નિશ્રામાં મને Ph. D. નું પદવીદાન પત્ર એમનાં હસ્તે મળ્યું. આ માટે સંઘનાં બધા ભાઈઓએ ખૂબ જહેમત ઉઠાવી છે. મોટો કાર્યક્રમ ગોઠવેલ, એ દરેક માટે હું આભારી છું. આ સિવાય મુંબઈ સંઘનાં હોદ્દેદારો, તેમનો પણ ખૂબ-ખૂબ આભાર માનું છું. આ સિવાય શ્રીમતી પુષ્પાબહેન કેશવલાલ મોદી, શ્રીમતી સરિતાબહેન રમેશભાઈ મહેતા, શ્રીમાન હસમુખભાઈ, ત્રીકમજી અજમેરા,