________________
અનુભવ રસ
*****
**
**
****
*********
******
*******
**
**
**
આભાર-દર્શન * આશયથી કોન્ફરન્સે આ શોધ પ્રબંધ-મહાનિબંધને સંક્ષિપ્ત કરી
આભાર વ્યક્ત કરવાની વાત કરું તો મારી દ્રષ્ટિ મારી જીવનયાત્રા તરફ જાય છે. અણઘડ પત્થર જેવી હું, જેનો પૂ. તપસ્વી રતિલાલજી મહારાજ સાહેબે હાથ ઝાલ્યો અને મને શ્રદ્ધા ભાજન આધ્યાત્મયોગીની બા. બ્ર. પૂ. બાપજી, બા. બ્ર. પૂ. (લલિતાબાઈ સ્વામી) એ મને સાથે આપ્યો. આ બંનેનો જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે. “આભાર” શબ્દ તો બહુ વામણો છે. એમનું ઋણ ચૂકવવાની મારી કોઈ લાયકાત પણ નથી. આભાર માનવામાં બદલે બલ્ક હું એમ કહીશઃ – “આવતા જન્મે ય આ અવતાર હોય મારો ભાર તમારા માથે હોય!” મારા હૃદયને આ માર્ગે લઈ Ph.D. સુધીની ઉચ્ચ પદવી સુધી લઈ જનાર મારા ગુરુણી મૈયા છે.
મારી સંયમયાત્રામાં વડિલ ગુરુભગીની બા.બ્ર. પૂ. ડો. તરૂબાઈ સ્વામી, મારા સંયમી જીવનમાં સાથી, સહચર અને સાહેલી છે. તેમણે Ph. D. કરેલ હોવાથી મારા જ્ઞાનસત્રમાં પ્રગતિ કરાવી છે. એમનો તથા શ્રી વસુલાઈ સ્વામી, સુમિત્રાબાઈ સ્વામી, અરૂણાબાઈ સ્વામી, જયવંતીબાઈ સ્વામી તથા મીરાંબાઈ સ્વામી વગેરે મારી સાધ્વી ભગિનીઓ એના મને . ડ. ૮ થી લઈ Ph. D. સુધીના અભ્યાસમાં સાથ, સહકાર અને સેવા બદલ ખૂબખૂબ આભારી છું.
આ સિવાય હંમેશાં મારી સાથેને સાથે, સાથ આપતી મારી શિષ્યા શ્રેયા જેને હૃદયની કૂણી લાગણી, ભક્તિ તથા આદર સાથે મારું રોજિંદું કાર્ય ઊપાડી મને વાંચન, વિચાર, ચિંતન, મનન માટે સમય ફાળવી આપ્યો છે. મારા શોધ-પ્રબંધનાં ફાઇનલ લખાણનાં ૧,૫૦૦ પેઇજ પણ તેણે જ લખેલ છે. મારા માટે એનું યોગદાન અવિસ્મરણીય છે. શ્વેતા, મિત્તલ, શ્રીદત્તા, શ્રુતિ તથા સ્વરૂપા વગેરે મારા પૂ. બાપજીની પ્રશિષ્યાઓએ પણ વિહારમાં, વિચારમાં તથા વાંચનમાં અનુકુળ થઈ સગવડો પૂરી પાડી છે તે બદલ તેમનો પણ આભાર માનું છું.