________________
અનુભવ રસ
10 શ્રી હસમુખભાઈ મહાસુખભાઈ જો બાળીયા, શ્રી અરવિંદભાઈ મહાસુખભાઈ જોબાળીયા, કમલેશભાઈ દોશી વગેરે નામી - અનામી શ્રાવક-શ્રાવિકાઓ, ભક્તવર્ગે જે સહકાર આપ્યો છે તે બદલ આભાર. આ ગ્રંથના સંપાદન પ્રકાશનના સંયોજનની સંપૂર્ણ જવાબદારી શ્રી ગુણવંતભાઈ બરવાળિયા એ સંભાળી તેમનું યોગદાન અનુમોદનીય છે.
અને છેલ્લે, પણ જરાય ઓછું અંકાય તેમ નથી એવું યોગદાન શ્રી સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ મુંબઈનું છે જે આ થીસીસના ગ્રંથો પ્રકાશિત કરી રહેલ છે. કોન્ફરન્સના બધાજ ભાઈઓનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું.
સ્વત સુખાય, સ્વત હિતાય આત્માનો રક્ષાર્થ જગત હિતાય ચું
આ ઉક્તિ અનુસાર સાધનામાં સ્વયંનું હિત સાધતાં – સાધતાં જનતા – જનાર્દનનું હિત પણ સધાય તેની કાળજી લેવામાં જે જે સાધક મિત્રો નામી અનામી સહકાર આપી રહ્યાં છે તે બદલ હું તેમનો સર્વેનો હૃદયપૂર્વક આભાર માનું છું.
સાધ્વી શ્રી જસુબાઈ મહાસતીજી
અમૃત મહોત્સવ પર્વના પાવન દિને વિમોચન
મારા પરમ ઉપકારી ગુરુણીમૈયા અધ્યાત્મ યોગીની પૂ. લલિતાબાઈ મહાસતીજી, પૂ. બાપજીના ૭૫મા જન્મદિન ૨૫૦૪-૨૦૦૪ અમૃત મહોત્સવના પાવન દિવસે કલ્પતરુ અધ્યાત્મ કે મીયાગામ કરજણ મુકામે, કોન્ફરન્સના પ્રમુખશ્રી મગનલાલ હરીલાલ દોશી તથા શ્રેષ્ઠીવર્ય શ્રી મનહરલાલ ચુનીલાલ શાહ (રૂબી મિલ)ના વરદહસ્તે “અનુભવ રસ'નું વિમોચન ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં થઈ રહ્યું છે તે મારા માટે આનંદની ઘટના
સાધ્વી શ્રી જસુબાઈ મહાસતીજી