________________
૭૯
અનુભવ રસ સંસારની આ ચોપાટ રમતા દાવ-પેચ કેવા રમાઈ રહ્યા છે. તે બતાવતા શ્રી આનંદઘનજી કહે છે,
राग-द्वेष मोहके पासे, आप बनाये हितकर..। जैसा दावा परे पासेका, सारी चलावे खीलकर..।।प्राणी॥२॥
અનાદિકાળથી રાગ-દ્વેષના પાસાને જીવે હિતકર માન્યા છે. પર વસ્તુમાં ઇષ્ટપણું ધારણ કરી, તેમાં રંગાવું. તેમાં તન્મય થઈ જવું તે રાગ. અને પરવસ્તુમાં અનિષ્ટ પરિણામ તે દ્વેષ.
આત્મામાં જેટલા જેટલા અંશે કષાયયુક્ત તીવ્ર-તીવ્રતરકે તીવ્રતમ, મંદ-મંદતર કે મંદતમનાં પરિણામ થાય છે. તે પ્રમાણે કર્મબંધન થાય છે. આ કર્મ ચારગતિરૂપ ચોપાટમાં ફેરવ્યા કરે છે. જ્યાં સુધી રાગ-દ્વેષનાં પાસાં પડે છે ત્યાં સુધી ચારગતિરૂપ ચોપાટની રમત ચાલુ જ રહે છે. આ ચોપાટથી મુક્ત કેમ થવાય? તેના જવાબમાં કવિ કહે છે કે પદાર્થ પ્રત્યેના રાગાદિભાવને છોડી આત્મા પોતાના ઉપયોગને સ્વમાં જોડે, અને શુદ્ધ ઉપયોગી બને તો રમતથી મુક્ત થવાય છે. જ્યાં સુધી પરમાં ઉપયોગ છે. ત્યાં સુધી સંસાર ચોપાટ ચાલુ જ રહે છે.
રાગ-દ્વેષ અને મોહરૂપ પાસાં જીવ પોતે જ નાખે છે અને સોગઠીરૂપ ફરવાનું કાર્ય પણ સ્વયં કરે છે. ચતુર્ગતિરૂપ ચોપાટથી મુક્ત કેમ બનાય? તથા દાવ-પેચ કેમ રમાય તે શ્રી આનંદઘનજી બતાવે છે કે• પાંવ તત્તે હૈં સુના મા, છ તને છે ...
સવમીન દોત RIGર તેરવા યદ વિવેવ નિવેવા... બાળારૂપ
પરંતુ ચોપાટનાં બધાં જ પાસાં સરખા છે અને બધી બાજુથી સમાન છે. ઉપરનાં પાસાં ઉપર પાંચ હોય તો તેની બરાબર નીચેની બાજુમાં બે હોય છે. તેની જમણી બાજુમાં જ હોય તો તેની સામેની બાજુમાં એક હોય. આ રીતે બની ગણતરી કરતા ૭ નો આંક આવે છે. પ+=૭, ૬+૧=૭, ૭૭=૧૪, ચૌદ ગુણસ્થાનક જીવના છે. પરંતુ આ વ્યાવહારિક વાતને અધ્યાત્મદષ્ટિએ કેવી રીતે ઘટાવવામાં આવે છે. તે સમજવાનું છે.
પાંચ પ્રકારનાં આશ્રવનો સૂચક પાંચનો આંક છે. કરવું અને કરાવવું તે બે નો અંક, આમ વિવેકપૂર્વક ગણતરી કરતાં સાતદાણા આવે અને