________________
૭૭
અનુભવ ૨૪
“વે રાતિ પર પ્રાળ મેરો" મહાનતત્ત્વજ્ઞ શ્રી આનંદઘનજી મહારાજે આ પદમાં સંસારનું સ્વરુપ ચોપાટના દ્રષ્ટાંતદ્વારા દર્શાવ્યું છે.
જીવની વર્તમાન શી દશા છે. તથા જીવ ચોપાટની સોગઠીની જેમ ક્યાં કારણે ફરી રહ્યો છે. નિજઘરમાં જવા માટે તેણે કેવો અને કેવી રીતે માર્ગ શોધવો તે કવિશ્રી સાખીમાં જ બતાવી આપે છે.
યુવા દિન નિ સુવુદ્ધિ થવા નારી चोपर खेले राधिका, जीते कुबजा हारी।।१।। આગળના પદમાં સુમતિએ શ્રદ્ધાને કહ્યું કે હવે મોહરાજા તથા ચેતન વચ્ચે યુદ્ધ થશે. તેમાં ચેતનજી જીતશે. અને જીત નગારા વાગશે પછી ચેતન, શુદ્ધ ચેતનાને ભેટશે.
આ પદમાં ચેતન આણંદ માણવા ચોપાટ ખેલી રહ્યો છે. આ સામાન્ય ચોપાટ નથી. અનાદિકાળથી રમાતી આ રમતમાં કોઈ વખત હાર તો કોઈ વખત જીત છે. છતાં આ રમતનો કોઈ અંત નથી. સુબુદ્ધિ અને કુબુદ્ધિ વચ્ચે અર્થાત્ સુમતિ-કુમતિ વચ્ચે ચોપાટનો દાવ ખેલાઈ રહ્યો છે. આ રમતમાં ક્યારેક એમ લાગે છે કે સુમતિ હારશે. પણ ત્યાં તો આશ્ચર્ય થાય છે અને સુમતિ જીતી જાય છે.
કવિશ્રીએ શ્રીકૃષ્ણને અંતરાત્મા સાથે સરખાવી અધ્યાત્મદષ્ટિએ ચોપાટની રમત બતાવવા સફળ પ્રયત્ન કર્યો છે.
કુમતિરૂપ કુન્જા અને સુમતિરૂ૫ રાધિકા આત્મરૂપ કૃષ્ણની બંને પત્નીઓ છે. કૃષ્ણને ફસાવનાર કુબ્બાની સાથે રાધિકા ચોપાટ રમે છે. બંને દાવ-પેચ રમવામાં ઘણી બાહોશ છે. પણ અંતે તો ધર્મનો જ વિજય થાય છે.
ચારગતિરૂપ ચોપાટ છે. દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ અને નરકગતિ આ ચાર ગતિ રૂપ ચોપાટમાં સર્વ જીવો કુબુદ્ધિથી પ્રેરાઈ અનંતકાળથી પરિભ્રમણ કરે છે. આ ચોપાટમાં કોઈ પણ જીવ એક સ્થાને સ્થિર થઈ ઠરી ઠામ બેસતો નથી પણ જન્મ, જરા, મૃત્યુનાં દુઃખ