________________
અનુભવ રસ મોરચો માંડે છે.
ચેતન હવે પોતાની બહાદુરી કેવી બતાવે છે તે કહે છે. टोप सन्नाह शूरको बानो, एकतारी चोरी पहिरीरी..। सत्ता थलमें मोह विदारत, ए ए सुरिजन मुह नीसरीरी.. ।। आतम ॥ २ ॥
૭૪
મોહરાજા સાથે યુદ્ધ કરવા ચેતન લડવૈયાનો વેશ ધારણ કરે છે. મસ્તકનું રક્ષણ કરવા ટોપ પહેર્યો છે. છાતીનું રક્ષણ કરવા ઢાલ લીધી છે. તથા કમર ઉપર ધોતી ધારણ ન કરતાં, સુરવાલ પહેર્યો છે. કારણકે ધોતીથી મજબૂતાઈ ન રહે, માટે અંદરમાં કચ્છ લગાવી લોખંડની જાળીવાળો શૂરવાલ પહેરવાનો તે સમયે રિવાજ હતો.
વીયોદ્ધાના વેશમાં સજ્જ થઈ આતમરાજા યુદ્ધક્ષેત્રમાં જવા જયારે પ્રયાણ કરે છે ત્યારે સમ્યક્ત્વસિંદૂર વડે પોતાના કપાળમાં શુકનવંતું તિલક કરે છે. આત્માએ શાનદૅષ્ટિરૂપ ટોપ શિર પર ધારણ કર્યો છે. આત્મસંયમનું બખ્તર પહેર્યું છે. તેથી કષાયો, ઇન્દ્રિયો કે વેદ તેને કાંઈ કરી શકે નહીં, તેણે એકાગ્રતાનું અંગરખું ધારણ કર્યું છે. પોતાની શુદ્ધદશા પ્રગટ કરવા ચેતન એકાગ્રતાપૂર્વક ધ્યાનમગ્ન બની ગયો છે. આ રીતે તૈયાર થઈ, યુદ્ધસ્થલી ૫૨ પહોંચે છે.
ત્યાં તો મોહરાજાના સૈનિકો એક પછી એક બહાર આવતા જાય છે. જેમ જેમ દુશ્મનો સામે આવે છે. તેમ તેમ ચેતનરાજ તેનો નાશ કરતો જાય છે. જેટલી શૂરવીરતાથી યુદ્ધ થાય છે. ને શત્રુઓનો સંહાર થાય છે. ત્યાં તો જ્ઞાનીઓ, બુદ્ધજનો, દેવ, ઇન્દ્રો વગેરેનાં મોઢામાંથી શાબાશ... શાબાશના શબ્દો સરી પડે છે. ક્યારેક તો વધારે આનંદમાં આવી જતાં અહો.. અહો જેવા શબ્દો માત્ર જ પ્રગટે છે. વીર સૈનિકે હવે તો એવું વીરત્વ દાખવ્યું છે કે જે કર્મો સત્તામાં પડયા હતાં ત્યાં તો તે કર્મની કાપણી ક૨વા લાગ્યો.
આત્મા જ્યારે સાતમા ગુણસ્થાનથી આગળ વધી, આઠમા ગુણસ્થાનકે ક્ષપક શ્રેણી માંડી, નવમા, દશમા ગુણસ્થાનકથી આગળ વધે છે. ત્યારે તો કર્મની કાપણી કરવામાં ઝપાટો બોલાવે છે. અને અંતર્મુહૂંતમાં તો મોટા શત્રુનો નાશ કરી નાખે છે. આવું શૌર્ય દાખવતો ચેતન, સુમતિને બાજુમાં રાખી, ચેતનાને ભેટવા તત્પર બને છે. હવે તો