SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ ૨સ ૫૪-૧૧ ૭૨ “બાતનું અનુમવ રીતિ વરીરી” આત્માની અવનવી દુનિયાનું અવલોકન કરી અન્યજીવોને અવલોકનનો રાહ બતાવતાં શ્રી આનંદઘનજી મહારાજે આ પદમાં કેટલીક માર્મિક વાતો કરી છે. ચેતન તથા ચેતનાને રૂપક શૈલીમાં ૨જૂ કરી કવિશ્રીએ ચેતનમાં પડેલી પુરુષ સહજ કઠોરતા અને ચેતનામાં રહેલી સ્ત્રીસહજ કોમળતા વગેરે ભાવોને સફળ રીતે વર્ણવ્યા છે. કુમતિના મોહપાશમાં ન ફસાવા ચેતનને ચેતનાએ ઘણો સમજાવ્યો. છતાં તેની કોઈ અસર ન જણાતા, ચેતનાએ શ્રદ્ધાનો સહારો લીધો, શ્રદ્ધા તથા ચેતના વચ્ચે થયેલી વાતો ચેતને છાની રીતે સાંભળી લીધી છે. ચેતનાની આ વિરહાકુળ વાતો સાંભળી ચેતન સ્વયં વ્યથિત થઈ જાય છે અને ત્યાં જ નિર્ણય કરે છે કે વાસ્તવિક હું કુમતિના સંગે સુખી નથી. માટે એનો સંગ છોડી મારે હવે સુમતિ સંગાથે રમવું જોઇએ અને સુમતિ દ્વારા હું ચેતનાને પામી શકીશ. લાંબા કાળથી વિરહી બનેલી ચેતનાને સમજાવવી સરળ નહિ બને, છતાં પણ મારે હવે સુમતિનો સંગ છોડવો નથી. આવા નિર્ણય પર આવેલ ચેતન શું કહે છે તે કવિશ્રી આ પદમાં માલકોસ રાગમાં કહે છે, आतम अनुभव रीति વીરી.. मोर बनाए निज रुप निरूपम, तिच्छन्न रुचिकर तेग धरीरी..।। आतम ॥१॥ હવે ચેતન સુમતિના ઘરે આવવા તત્પર થયો છે. સુમતિ એટલે શુદ્ધવિચારણા. તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ જોઈએ તો આ સ્થિતિ બારમા ગુણસ્થાનક સુધી રહે. બારમા ગુણસ્થાનકના અંતે સંપૂર્ણ શુદ્ધચેતના પ્રગટ થાય છે. ત્યારબાદ આ અવસ્થા અનંતકાળ સુધી ટકી રહે છે. શુદ્ધચેતનાને એમ થાય છે કે ચેતનને હવે સત્યવાત સમજાણી છે. હવે તે સાચે રસ્તે આવી રહ્યો છે. તેથી જરૂર તે સુમતિના મંદિરે પધારશે. તેથી ચેતના, સુમતિને વધાઈ દેવા દોડે છે. તે સુમતિને હરખાતી હરખાતી
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy