________________
૬૭.
અનુભવ રસ ખોલી નાખે છે. આત્મરસનો પ્રવાહ વહેવા માંડે એવી એક આ ઉત્તમ રચના છે. - કવિ શ્રી આનંદઘનજીનું વ્યવહારજ્ઞાન કેવું હતું તથા તેનો વિનિયોગ એમણે અધ્યાત્મદષ્ટિએ કેવો કર્યો છે, તે આ પદ દ્વારા સમજી શકાય છે.
આ પદમાં કવિએ નારી હૈયાને ખોલી નાખ્યું છે તથા એ બધાં જ ભાવો ચેતનચેતનારૂપે વ્યક્ત કરે છે. અનાદિથી ચેતન મમતાને કારણે સંસારમાં ભમે છે. તેને સ્વસ્થાને લાવવા ચેતના સમજાવી રહી છે.
આ પદ અત્યંત અસરકારક અને મનોવ્યથાયુક્ત છે. આ મનોહરરચના સાધકના ચિત્તમાં વસી જાય એવી છે.
જીe