SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ss અનુભવ રસ “યા જનમતિ લવ છાંડી તૌ, તેવો અંતર દ”િ मोहदृष्टि जो छोडिये, प्रगटे निज गुण सृष्टि।। १।। હે ચેતન! હવે ભ્રાન્તિબુદ્ધિનો ત્યાગ કરી, અંતરદ્રષ્ટિથી તું તારું અંતરમન જો, તારી અંદર રિદ્ધિનો અક્ષય ખજાનો છે. પણ તે મોહથી ઢંકાઈ ગયો હોવાથી દેખાતો નથી. . જીવ જયારે મોહદેષ્ટિ મૂકી, સ્વરૂપ રમણ કરે છે. ત્યારે આત્માનાં અનંતગુણરૂપ સૃષ્ટિનો આવિર્ભાવ થાય છે. માટે હે ચેતન! જાગ તું પોતે જ પરમાત્મા છો. તારામાં સર્વશક્તિઓ પડી છે. તે સ્વયં આનંદઘન સ્વરૂપ છો. જે બહાર દેખાય છે તેનાથી વિશેષ તારી અંદર પડયું છે. તને તારી પાસેથી જ બધું મળશે. મહાત્મા સરયૂદાસે આવા જ ભાવો વર્ણવ્યા છે, “એવો હું પરિપૂરણ ચિઠ્ઠન એકલો, બીજુ કલ્પિત જે વરીમાં જેમ સર્પજો, વાચા રમણ નામરુપ પરપંચ છે. વિલણ્યો કૈવલ્ય ચૈતન્ય આપોઆપજોવા બ્રહ્મદર્શી” હું ચિદાનંદ ચૈતન્ય સ્વરૂપ છું. ચિદ્યનઆત્મા એક જ છું. હું પરિપૂર્ણ છું. શબ્દો વડે જે નામરૂપ દેવામાં આવે છે એ તો એક પ્રપંચ છે. જે આ પ્રપંચ છોડે છે તેમાં આપોઆપ કૈવલ્યજયોતિ પ્રકાશે છે. શુદ્ધચેતના આ રીતે સમતાસ્વરૂપ ધારણ કરી, આત્મદેવને સમજાવે છે. અન્યદષ્ટિએ જોતાં સમતા એ શુદ્ધ ચેતના દર્શન એક મહાવિશુદ્ધ આત્મપરિણતિ છે. તે સિવાય જીવનું વાસ્તવિક હિત સાધનાર અન્ય કોઈ નથી. જેમ નીમક વિના રસોઇનો કોઈ સ્વાદ નથી. રસ વિના કેરીની કિંમત નથી. તેમ સમતા વિના ક્રિયા – અનુષ્ઠાનનું પણ મૂલ્ય નથી. શ્રી આનંદઘનજીએ આ પદમાં નારી હૃદયની કૂણી લાગણીઓનું આબેહૂબ ચિત્રણ કર્યું છે. સતી સ્ત્રી જેવી શુદ્ધચેતના તથા તેના હૃદયની વેદના કેવી છે. તથા મમતાની માયાજાળ કેવી છે? તો માર્મિકભાવો આ પદમાં રજૂ કર્યા છે. પહેલી નજરે સામાન્ય લાગતું આ પદ સર્વ સામાન્ય જીવોની દૃષ્ટિ
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy