________________
૫૯
અનુભવ રસ અનુભવમાં રોકાયેલું હોય છે. તેથી નાકનો વિષય બની શકે નહીં, શ્રી સરયૂદાસજી પણ કહે છે,
બોલું તો પણ મુખ્ય ટળે નહિ માહરૂ” દેખી ને નવ દેખે એવી રીત જો, સાંભળે તો પણ સાંભળ્યું નહીં કંઈ વાતને એ છે મારો અનુભવ વેદ વિદિત જો
બ્રહ્મદર્શી ગુરુ મળીયા મનના ભાવતા . એ આત્માનુભવ એવો છે કે તે પૂલ ઇન્દ્રિયોનો વિષય બની શકતો નથી. તે જીવ યથાર્થ સ્વરૂપના અવબોધથી આત્માની ઉન્નતદશા ભોગવતો હોય છે. ફૂલ દૂર પડ્યું હોય તો પણ તેના અસ્તિત્વનો ખ્યાલ આવે છે. તે દાબી કે ઢાંકી દીધું હોય તો પણ તે ભલે કાનનો વિષય ન બને પણ નાકનો વિષય બની શકે છે, ત્યારે આત્માનુભવરૂપ ફૂલ ભલે નાકથી નહીં પણ કાનથી તેના અસ્તિત્વનો ખ્યાલ આપે છે.
આત્માનુભવીને પોતાની અંદર “અહંમ”, “અર્હમ” અથવા “સોહમ્” સોહમ્” નો અભુત ધ્વનિ સંભળાયા કરે છે. જેમ બાળક ઘોડિયામાં ઘુઘવાટ કરતું હોય છે, તેની “મા”ને દૂરથી સંભળાય છે તથા તેને ખ્યાલ આવી જાય છે કે બાળક જાગે છે. મંદિરમાં ઘંટના ધ્વનિનો ગુંજારવ લંબાય છે તેથી ઘંટધ્વનિ થયાનો ખ્યાલ આવે છે. તેમ આત્માનુભવ કાનનો વિષય ન હોવા છતાં અનાતધ્વનિને કારણે તેની પ્રતીતિ થાય છે.
પદાર્થનું જ્ઞાન ઇન્દ્રિયોની સહાયથી થાય છે. ચાર ઈન્દ્રિયો દ્વારા વ્યંજનાવગ્રહ થાય છે અને પછી અર્થાવગ્રહ થાય છે. અર્થાવગ્રહ પાંચ ઈન્દ્રિયો દ્વારા થાય છે. અર્થાવગ્રહથી ધારણાનો ક્રમ આ પ્રમાણે છે.
જેમકે – પદાર્થ પ્રત્યે, (૧) આ કંઇક છે તેવી વિચારણા તે અર્થાવગ્રહ (૨) આ શું છે? તેની વિશેષ વિચારણા તે ઈહા . (૩) આ એ જ હોવું જોઇએ તે અવાય (૪) ના, આ તો એ જ છે, તે ધારણા વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહથી સૂક્ષ્મ છે. પણ આ બધો ઇન્દ્રિયનો