________________
અનુભવ રસ
૫૪-૮
૫૮
66
'आतम अनुभव फूलकी"
સર્વ સંસારી જીવોને જગતમાં વિવિધ પ્રકારના અનુભવો થાય છે. જે જીવ બહિરાત્મભાવમાં રમણ કરે છે તેને ઇન્દ્રિયો સાથે પદાર્થનો સંયોગ થતાં જે અનુભવ થાય છે તે ભૌતિક જગતનો હોવાથી ક્ષણિક તથા અનિત્ય છે.
કવિ આનંદઘનજીએ આ આઠમા પદની સાખીમાં અલૌકિક અનુભવની વાત કરી છે. કવિ કહે છે,
आतम अनुभव फूलकी, नवली कोउ रीत ।
नाक न पकरे वासना, कान गहे न परतीत ॥१॥ આતમંઅનુભવ એવો છે કે તેની નાકથી વાસ તો આવતી નથી. તો કાનથી પણ એ અનુભવ સંભળાતો નથી.
આત્મઅનુભવની વાતો એવી છે કે તે શબ્દથી કહી શકાતી નથી. આંખેથી જોઈ શકાતી નથી, કારણ કે તે ઇન્દ્રિયનો વિષય નથી. આવી ઊંચી દશાને જડ ઇન્દ્રિયો શું જાણે ?
કવિએ અહીં અનુભવને ફૂલની ઉપમા આપી છે કારણકે ફૂલ કોમળ હોય, સુગંધી હોય, મધુ૨૨સ ભરપૂર હોય તથા અલ્પજીવી હોય. તે રીતે આત્મદર્શનના અનુભવરૂપ ફૂલ પણ કોમળ હોય છે. આનંદરસસભર. જગતનાં સર્વ જીવો એવો આનંદ માણવા ઇચ્છે છે. છદ્મસ્થ અવસ્થામાં આવો અનુભવ અલ્પ સમયનો હોય છે. અધિકમાં અધિક અંતર્મુહૂર્ત ટકે છે. આ અનુભવ પરમશાંત તથા પ્રમોદયુક્ત છે. આ અનુભવરૂપ પુષ્પમાં શાંત સુધારસ ભરપૂર ભર્યો છે પણ તેનો આનંદ મુમુક્ષુજીવો જ લઈ શકે છે. પરભાવથી પાછા ફર્યા વિના ચૈતન્યાનુભૂતિ દુર્લભ છે. જે ક્ષણે ચૈતન્યાનુભૂતિ થાય છે. તે ક્ષણે વાસના વિરમી જાય છે માટે જ “નાળ ન પરે વાસના” કહ્યું છે કે નાકનો વિષય સુગંધદુર્ગંધનો છે પણ તેમાં વાસના કરવી કે રાગ– દ્વેષાત્મકભાવ કરવા તે નાકનું કાર્ય નથી પણ અંતરમન દ્વારા થાય છે. આત્માનુભવ સમયે અંતરમન