SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ અનુભવ રસ પણ એ મઠમાં રહે છે. એ ખવીસ ક્ષણે-ક્ષણે આત્માને છળે છે. તો પણ આ અજ્ઞાની મૂર્ખ શિષ્ય (ચેલો) સમજી શકતો નથી અને તન મઠની મમતા છોડી, પોતાના શુદ્ધ સ્વભાવે જાગૃત થતો નથી. આ પંક્તિઓને જુદી રીતે ઘટાવતાં શ્રી બુદ્ધિસાગરજી મહારાજ લખે છે, “અધ્યાત્મની દૃષ્ટિએ જોતાં પાંચ ઇન્દ્રિયોરૂપ પાંચ ભૂત છે. અને માથા વિનાનો મોહ ખવીસ છે. આ છયે તનરૂપ મઠમાં વસે છે” કવિ આનંદઘનજી કહે છે “હે આત્મન્ ! તું જરા પણ પ્રમાદવશ બની શરીરધર્મમાં મમતા રાખીશ તો મૂર્ખમાં ખપી જઈશ. જીવનો શરીરધર્મ કેવો છે તથા કાયાની માયા કેવી છે તે વિશે શ્રી નરસિંહ મહેતા કહે છે, “ધન જોબન મદમાતો, વિષય ભોગમાં વારું એ ચાંદરડું ચાર દિવસનું અંતે તો અંધારૂ. માટે મન વિચારી જોને માન કહ્યું તું સાચું વિણસી જાતા વા ન લાગે, કાયા પાત્ર છે કાચું” ભારતીય સંતપરંપરામાં દેહની નશ્વરતા વિશે ઘણા કવિઓએ ઉલ્લાસપૂર્વક ગાયું છે. મધ્યકાલીન ગુજરાતી કવિઓમાં--સંત કવિ શ્રી ધીરાભગતની નીચેની પંક્તિઓ સરખાવવા જેવી છે. અખંડ એક આતમા રે, બીજું સરવે ધૂળ, ફૂલ ખીલીને ખરી પડે, એવું કાયાનું છે કામ, પ્રથમ સદ્ગુરુનો સત્સંગ સાચો, બીજો જે કરો તે કાચો” નરસિંહ મહેતાએ આ કાયાને માટીનાં પાત્ર સાથે અને ધીરાભગતે આકડાના ફૂલ સાથે સરખાવી છે. ત્યારે શ્રી આનંદઘનજીએ કાયાને મઠ કહી છે. પણ ચેતન એ મઠ ઉપર આધિપત્ય નહીં રાખે તો ખવીસ મઠને ખાઈ જશે અને ચેતનને સપ્તમ્ ભૂમિમાં ધકેલી દેશે માટે ચેતનને જગાવતા કહે છે, शिर पर पंच वसे परमेसर, घटमें सूछम बारी। બાપ અભ્યાસ તવે વો વિરતા, નિર શ્રી તારા..વધૂ...રૂા તારા માથા ઉપર પંચ પરમેષ્ટિ વસે છે તેને તારા હૃદયની સૂક્ષ્મ બારીવાટે જો કોઈ આત્મજ્ઞાનનો અભ્યાસી વિરલ પુરુષ તેને ધ્રુવ તારાની
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy