________________
અનુભવ રસ
૫૪ - સ્પર્શના કરી ન હોય? આશાને કારણે જીવ બંધનમાં છે પણ જેવો આબંધનથી મુક્ત થઈ જાય છે કે તુરત જ સિદ્ધક્ષેત્રમાં જઈ શાશ્વત સ્થાને જઈ સ્થિર થઈ જાય છે.
કવિ આશાવરી રાગમાં આ પદની કડીમાં કહે છે, अवधू क्या सोवे तन मठमें , जाग विलोकन घटमें...। अवधू तन मठ परतीत न कीजे, ठहि परे एक पलमें...। નવત મેટિ લવર તે પછી, વિન્ટે રમતાં નનમેં..રાવપૂ..રૂા.
હે અવધૂત આત્મા! તું તારા શરીરરૂપ મઠમાં કેમ સૂઈ રહ્યો છે? હવે જાગૃત થા અને તારા અંતરઘટને જો. તું તારા શરીરરૂપી મઠનો ભરોસો ના કરીશ. એ તો એક ક્ષણમાં ધસી પડે છે. માટે તું સર્વ હલચલ છોડી તારા અંતરઘટની ખબર લે. તું પાણીમાં (માછલાના પગની) નિશાની શું શોધે છે?
હે ચેતન ! તું આ શરીરરૂપી મઠમાં મોહનિદ્રા લઈ ક્યાં સુધી સૂતો રહીશ? હવે તો જાગ, અંતરઘટમાં દૃષ્ટિ કર, કારણ કે શરીર તો મરણધર્મા છે તે તો ક્ષણિક અને નાશવંત છે માટે તેનો ભરોસો કરવો તે યોગ્ય નથી.
આયુષ્યકર્મના આધારે રહેલ આ શરીર આયુષ્યની દોરી તૂટી જતાં, એક પળમાં નાશ પામી જશે. હે ચેતન ! પુગલ પોતાનો નાશવંત ધર્મ ક્યારેય પણ છોડતો નથી, ત્યારે તું તારા સ્વભાવને કેમ છોડે છે? તું નિરર્થક રાગ-દ્વેષ કરી તારા આત્મપ્રદેશોને કંપિત કરી રહ્યો છે અને કર્મથી ભારે બની રહ્યો છે માટે તું હવે તારા અંતરઘટનું દર્શન કર. એ ઘટ સમતારસથી ભર્યો છે અનેક મહાપુરુષો સમતારસમાં ડૂબેલો છે અને આ જગત પર તે મહાપુરુષોના જીવનકાર્યના ચિહનો પડેલાં છે. તું એ ચિહ્ને-
ચિને ચાલ્યો જા. તારો માર્ગ પ્રશસ્ત છે. તું તારા શુદ્ધ સ્વરૂપનો વિચાર કર. દેહભાવ છોડી, આત્મભાવે સ્થિર થા. હવે આ દેહ કેવો છે તથા શેનો બનેલો છે તે બતાવતાં કવિ બીજી કડીમાં કહે છે,
मठमें पंच भूतका वासा, सासा धूत खबीसा। છિન્ન છિન તો દી કનડું વાદે, સમને વૌરાસીસા... વધૂ...૨
શરીરરૂપી મઠમાં પંચભૂતનો વાસ છે. શ્વાસોશ્વાસ ધૂર્ત ખવીસ