SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ રસ ४४ કરાવતા હતાં. એક બેઠકમાં તેને એંસી પ્રાણાયામો કરવા પડતા. પ્રાણાયામની ભૂમિકાનો નિર્ણય દેશ, કાળ અને સંખ્યાથી થાય છે. પ્રાણાયામની સિદ્ધિથી કાળજ્ઞાન થાય છે. શ્રી યશોવિજયજી મહારાજ કહે છે, “બાહ્યાભાવ રેચક ઈહાંજી, પુરક અંતર ભાવ, કુંભક થિરતા ગુણે કરીજી, પ્રાણાયામ સ્વભાવ. મનમોહન” અહીં ઉપાધ્યાયજીએ સૂક્ષ્મદષ્ટિએ જીવનો બહિર્ભાવ તે રેચક. અંતર્ભાવ તે પૂરક અને સ્થિરતારૂપ કુંભક કહ્યો છે. (૫) પ્રત્યાહાર- બહિર્મુખ ઇન્દ્રિયોને અંતર્મુખ કરવી તેનું નામ પ્રત્યાહાર છે. શ્રી બુદ્ધિસાગરજી મહારાજ લખે છે, પાંચ ઇન્દ્રિયોના વિષયથી મનને પાછું ખેંચવું તેને પ્રત્યાહાર કહેવાય છે. અંતર્મુખ ઈન્દ્રિયો પર મનની સત્તા હોતી નથી. માત્ર પ્રાણની જ સત્તા હોય છે. મનની બહિંમુખતાને કારણે ઇન્દ્રિયો બહિંમુખ અને મનની અંતર્મુખતાને કારણે ઇન્દ્રિયો અંતર્મુખ રહે છે. પ્રાણાયામનાં પૂર્ણ અભ્યાસ પછી ભટકતાં ચિત્રને પાછું ખેંચી શકાય છે. માટે પ્રાણાયામના અભ્યાસ પછી પ્રત્યાહારની દશા બતાવી છે. પ્રાણાયામની ભૂમિકા સિદ્ધિ થયા વિના યથાયોગ્ય રીતે મનને પાછું ખેંચવાનું બળ પ્રાપ્ત થતું નથી. પ્રત્યાહાર કેમ કરાય? તેનો ઉત્તર દેતાં શ્રી શુભચંદ્રાચાર્યજી કહે છે, “ોરેગ્યો જીવરાજ તેખ્યશ્ચિતમના ઉનના __ पृथक कृत्य वशीधते, ललाटेऽत्यन्तनिश्प्रलम्।। विषयों से तो इन्द्रियोंको पृथक करे और इन्द्रियो से मनको पृथक करै तथा अपने मनको निराकुल करके, अपने ललाट पर निश्चलतापूर्वक धारण करें, यह विधि प्रत्याहार में कही गई है। મનમાં જે જે વસ્તુઓને ધારણ કરવામાં આવે છે તે તે વસ્તુઓની બરાબર ધારણા થાય છે. તેથી પ્રત્યાહાર પછી ધારણાનું સ્વરૂપ કહેવામાં આવે છે. (૬) ધારણા- પ્રત્યાહાર થયા પછી ધારણામાં પ્રવેશ સુગમ બને છે. શાસ્ત્રોમાં બતાવેલા કોઈપણ સ્થાનમાં મનને ધારવું તેને ધારણા કહે છે. યોગદર્શનમાં કહ્યું છે કે “શલશ્ચિત્તચાર” જે દેશમાં ધ્યેયનું
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy