________________
અનુભવ રસ છે. જે આસને બેસવાથી મનને નિશ્ચલ કરી શકાય તે આસન જીવ માટે યોગ્ય ગણાય છે.
- આસન કરવાથી શરીરમાં સહુનશક્તિ વધે છે. ધ્યાનમાં સ્થિરતા આવે છે. જેમ જેમ શરીરની નિશ્ચળતા વધે તેમ તેમ મનની ચપળતા ઓછીને એકાગ્રતા અધિક. શરૂઆતમાં આસન સ્થિર કરવાની જરૂર અધિક છે. આસનથી સમસ્ત નાડીઓની વિશુદ્ધિ થાય છે. જે ધ્યાનની સ્થિરતામાં અધિક ઉપયોગી થાય છે. (૪) પ્રાણાયામ - શ્રી વજૂર્મપુરાણમાં કહ્યું છે,
प्राण: स्वदेहजो, वायुरायामस्तन्निरोधनम्।
રેવર: પુરવ, પ્રાણાયામો વનવા योगशास्त्रमें योग सिद्धिका एक मात्र उपाय प्राणायाम् ही વડા હૈ.
પ્રાણવાયુનો આયામ એટલે નિરોધ કરવો તેને પ્રાણાયામ કહેવાય છે. રેચક, પૂરક અને કુંભક એ પ્રાણાયામનાં અનુગત અંગ છે. પ્રાણાયામ અનેક પ્રકારના છે. પ્રાણાયામનો અભ્યાસ ગુરુની નિશ્રામાં રહીને કરવામાં આવે છે. પ્રાણાયામથી શરીરની સ્વસ્થતા વધે છે. પ્રાણાયામ-અંત:કરણરૂપી અંધારા કૂવામાં ઊતરવાનું દોરડું છે. પ્રાણાયામની વિધિ બતાવતાં શ્રી આચાર્યજી લખે છે,
त्रिधा लक्षण भेदेन, संस्मृतः पूर्व सूरिभिः।
पूरक, कुंभक श्व, रेचक स्तदनन्तरम्।। अपने शरीर स्थित वायुका नाम प्राण है। और आयाम उसका निरोध करना प्राणयाम कहलाता है। પૂરક: બહારની શુદ્ધ હવાને અંદર ભરવી તે. ' કુંભઃ બહારની શુદ્ધ હવાને અંદરમાં ભરી રોકી રાખવી તે. રેચકઃ અંદરની દૂષિત હવાને બહાર કાઢવી તે.
પ્રાણાયામઃ પહેલાં ડાબી નાસિકાથી હવા લઈ અને પછી જમણી નાસિકાથી લીધેલી હવા બહાર કાઢવી. આમ બંને નાસિકા દ્વારા થયેલી પ્રાણાયામની ક્રિયાને એક પ્રાણાયામ કહેવાય છે.
પ્રાચીનકાળમાં ગુરુઓ યોગેચ્છુ શિષ્યને ચાર વાર પ્રાણાયામો