________________
૪૫
અનુભવ રસ ચિંતવન કરવું છે તે દેશમાં ચિત્તને સ્થાપન કરવું તે ધારણા છે. જેના પર સાધકને પ્રેમ હોય તે સ્થાન, વ્યક્તિ, મૂર્તિમાં મનને ધારી રાખવું તેને ધારણા કહેવાય છે. ધારણાના ત્રણ દેશ છે. આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક.
સદ્ગુરુની છબી, દેવમૂર્તિ, મણિરત્ન, દીપક ઇત્યાદિની ધારણા આધિભૌતિક ધારણા કહેવાય છે. જેમ બીજ વિનાનું વૃક્ષ ન હોય શકે તેમ ધારણા વિનાનું ધ્યાન ન હોઈ શકે. ધારણાનો દઢ સંકલ્પપૂર્વક અભ્યાસ કરવાથી ધારણાની સિદ્ધિ થાય છે. ધારણા કરવાવાળાએ પ્રથમ બાહ્યસ્થાનમાં ધારણા કરવી. તે સિદ્ધિ થયા પછી અંતર ધારણા કરવી ને છેવટે આત્માના અસંખ્યાતપ્રદેશમાં ધારણા કરવી. શ્રી શુભચંદ્રાચાર્યજી કહે છે,
नेत्रव्दन्द्रे श्रवणयुगले, नासिका ग्रे ललाटे। वक्रे नाभो शिरसि हृदये तालुनि भ्रूयुगान्ते।। ध्यान स्थानान्ममलमतिभिः कीर्तितान्यत्र देहे।
तेष्वेक स्मिन्विगत विषयं चित मालम्बनीयम्।। निर्मल बुद्धि आचार्योने ध्यान करने के लिये नेत्रयुगल, दोनों વાન, નાસિવ વાસમા, નનાદ, મુરલ, નામિ, મસ્ત, હૃદય, तालु, दोनो मोहोंका मध्यभाग। इन दश स्थानो में से किसी अक स्थानमें अपने मनको विषयोंसे रहित करके आलंबित करना अर्थात् इन स्थानो में से किसी एक स्थान पर ठहराकर ध्यान में लीन વરના વેરહા હૈ!
(૭) ધ્યાન- જ્યારે ધારણાના સ્થાનમાં ચિત્તવૃત્તિઓની એકાગ્રતા થાય. ચિત્તવૃત્તિઓનો અખંડ પ્રવાહ ધારણાના સ્થાને વહેવા લાગે ત્યારે તેને ધ્યાન કહેવામાં આવે છે.
પાતંજલ યોગદર્શનમાં ધ્યાનનું લક્ષણ આ પ્રમાણે બતાવ્યું છે.
"તત્ર પ્રત્યવાનના ધ્યાનમ" ધારણામાં વૃત્તિનું એક દેશમાં સ્થાપન કરી, ધ્યેય વસ્તુનું સ્વરૂપ રચવામાં આવે છે તે સિધ્ધ થવાથી વસ્તુમાં વૃત્તિનો એકાકાર પ્રવાહ ચાલે છે. તેને ધ્યાન કહે છે. જેમાં મન નિષ્કપ બની જાય તે ધ્યાન છે. “જ્ઞાન સંવનિની તંત્રમાં કહ્યું છે,