________________
૪૧
અનુભવ ૨સ “મુન્નાળું ભત્તે! નીવે નિળયર્? સન્નારી नाणावरणिज्जं कम्मं खवेई । "
હે ભગવાન ! સ્વાધ્યાય ક૨વાથી જીવને શો લાભ થાય ? ત્યારે વીર પ્રભુ ઉત્તર આપે છે કે સ્વાધ્યાયથી જીવ શાનાવરણીય કર્મનો ક્ષય કરે છે. આવશ્યકસૂત્રમાં સ્વાધ્યાયના પાંચ પ્રકાર બતાવ્યા છે.
વાયના, પુળા, પરિયા, ધમ્મત્તા અને અનુપેહા! (ઈ) ઈશ્વરપ્રણિધાનઃ- મન, વચન અને કાયા દ્વારા જે જે કર્મ ક૨વામાં આવે તે તે કર્મ શ્રી પ્રભુને સમર્પી દેવા તેનું નામ ઈશ્વર પ્રણિધાન અથવા શરણાગતિ છે. આમ કરવાથી આત્મામાં અકર્તાભાવ પુષ્ટ થાય છે અને અકર્તાભાવ પ્રગટ થતાં જીવમાં કોઈપણ કાર્ય પ્રત્યે અહં કે મમ નો ભાવ રહેશે નહીં. ભાડાના ઘરમાં રહેવાથી જે વૃત્તિઓ થાય છે તેમ સર્વ કાર્ય નીરસતાયુક્ત થશે. જેથી ગાઢ, ચીકણાં કર્મબંધ થાય નહીં. શ્રી કૃપાલાનંદજી લખે છે,
"
'कामतोऽकामतो वाऽपि यत करोमि शुभाशुभम् । तत्सर्व त्वयि सन्यस्तं, त्वत्प्रयुक्तः करोभ्यहम ।।
સાધક પ્રભુને પોતાનું સર્વસ્વ સમર્પી શરણાગતિ સ્વીકારે છે. ગુરુ અથવા પ્રભુને સર્મપણ થયા પછી સાધકને અંશ માત્ર ભય કે વ્યાકુળતા રહેતી નથી. શ્રદ્ધાને ભક્તિપૂર્વકનું સમર્પણ સાચી શરણાગતિ છે. આચાર્યશ્રી વિજયકેશ૨સુરિજી કહે છે કે ‘જે જે ક્રિયાઓ કરવામાં આવે તેના ફળની ઈચ્છા કે અભિલાષા રાખવી નહીં કેમકે જ્યાં ઈચ્છા હોય ત્યાં ફરી જન્મ થવા લાયક કર્મનો સંચય થાય છે. ઈચ્છાથી જ નવીન બંધ થાય છે. તેથી સર્વ ક્રિયાઓ ઈશ્વ૨ને અર્પણ કરવી. આત્મનિવેદનરૂપ ભક્તિ તે ઈશ્વર પ્રણિધાન છે. આ પાંચેય ભેદને નિયમ કહેવામાં આવે છે. યમનું નિરંતર સેવન,કરવાનું હોય છે. નિયમનું પ્રસંગે સેવન કરવાનું હોય છે. યમનિયમથી વિતર્કોના વમળ શાંત પડી જાય છે. ઉપર બતાવેલ નિયમો પાતંજલયોગ પ્રમાણે છે.
જૈન યોગમાર્ગમાં તો સમિતિ, ગુપ્તિ, ભાવના તથા ગુણવ્રત, શિક્ષાવ્રત આદિ અનુષ્ઠાનો રૂપ નિયમ બતાવવામાં આવ્યા છે. (૩) આસનઃ– યોગનું ત્રીજું અંગ છે આસન.