________________
૪૦
અનુભવ રસ
યોગસૂત્રમાં શ્રી પાતંજલીએ કહ્યું છે, कायेन्द्रिय सिद्धिरशुद्धि क्षयात् तपसः
તપના પ્રભાવથી માનસિક અશુદ્ધિનો ક્ષય થાય છે અને સાધકને ઈન્દ્રિયોની તથા શારીરિક સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તપના ત્રણ પ્રકાર છે. (૧) સાત્ત્વિક (૨) રાજસી (૩) તામસી. તેમાં શ્રેયસાધક અર્થે સાત્ત્વિક ત૫ ઉપયોગી છે. સાત્વિક તપથી મોક્ષ. રાજસી તપથી વૈભવ અને તામસી તપથી યશ પ્રાપ્ત થાય છે. સાત્વિક તપથી આત્મવિશુદ્ધિ થાય છે. શ્રી ભગવતીસૂત્ર ટીકામાં કહ્યું છે,
सव्वासिं पयडीणं, परिणामवसा उवक्कमो होइ।
पाय अणिकाइयाणं, तवसा य निकाइयाणंऽपि।। અનિકામિત પ્રકૃતિઓનો પરિણામનુસાર ઘણે ભાગે કરી ઉપક્રમ થઈ શકે છે. પરંતુ તપથી તો નિકાચિત કર્મોમાં પણ ફેરફાર કરી શકાય છે. તપ દ્વારા કરોડો ભવનાં કર્મો એક ક્ષણમાં પામી જાય છે ને આત્મા કર્મભારથી હળવો થઈ જાય છે. તપની વિશેષતા બતાવતા કહે છે,
'यद दुष्करं दुराराध्यं, दुर्जय दुरतिक्रमम्।
तत्सर्व तपसा साध्यं, तपो हि दुरतिक्रमम्।। जो दूराराध्य है, दुजर्य है, जिसको कोई अतिक्रम नहीं कर सकता, वह सब तपस्या से ही साध्य है। तपसे सब कुछ वशमें हो जाता है। तपको कोई अतिक्रम नहीं कर सकता। जगतमें परम श्रेष्ठ पदार्थ मोक्षप्राप्तिके लिये तप ही मुख्य उपाय है। तप रहित ज्ञान, ध्यान, भक्तियोग भी किसीको फलीभूत नहीं होते! तप से कोई कार्य असाध्य या असंभव नहीं है। इस लिए यह योग साधना ही महान तपस्या है!
(ડ) સ્વાધ્યાય- શ્રી સદ્દગુરુ નિર્દિષ્ટ સશાસ્ત્રોનું વાંચન, શ્રવણ, મનન નિષ્ક્રિયાસન કરવું તેને સ્વાધ્યાય કહે છે. સ્વઅધ્યાયઃસ્વાધ્યાય. જેમાં સ્વઆત્મરમણતા થાય તે સ્વાધ્યાય. સ્વાધ્યાયથી મનની સ્થિરતા બની રહે છે. માટે સ્વાધ્યાયને યોગમાં ઉત્તમ સ્થાન પ્રાપ્ત થયું છે.
શ્રી ગૌતમસ્વામી પ્રભુ મહાવીરને પૂછે છે,