________________
૩૯
અનુભવ રસ શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન.
(અ) શૌચ- શૌચં સુવિ, કોd વાઘમાયાન્તરંતથી मृज्जलाभ्यां हि बाह्यं तु मनः शुद्धिस्तथांतरम।।
શૌચ એટલે શુદ્ધિ. તેના બે પ્રકાર છે. બાહ્ય અને અત્યંતર. મૃત્તિકા, પાણી ઇત્યાદિથી શરીરની શુદ્ધિ કરવી તે બાહ્યશુદ્ધિ ત્યારે મનની મલિનતા દૂર કરી, રાગ-દ્વેષથી રહિત થવું તે આત્યંતર શુદ્ધિ છે. મનની નિર્મળતા સમસ્ત નિર્મળતાઓનું મૂળ છે. અતઃ સાધકે મનનાં દુષ્ટ વિચારોને શોધવા તેમજ સત્સંગ દ્વારા તેને દૂર કરવા અને સવિચારોને પુષ્ટ કરવા.
(બ) સંતોષઃ- સમસ્ત માનસિક સંતાપોનો અંત અથવા તૃતભાવ તે સંતોષ “શ્રી યાજ્ઞવચ' સંહિતામાં કહ્યું છે કે
यदच्छा लाभतो नित्यं, प्रीतिर्या जायते नृणाम्।
तत्संतोष विदुः प्राज्ञाः परिझानैक तत्पराः।। अपने प्रारब्धानुसार दैवेच्छा से नित्य से नित्य जो कुछ प्राप्त हो जाय उसमें ही प्रीतिपूर्वक संतुष्ट रहने को ज्ञानीजनोने संतोष વેદ હૈ! આજ વાત આગળ વધારે ઉંડાણથી કહે છે,
ब्रह्मादि लोक पर्यंताधिरकत्या यललभेत्प्रियम्।
सर्वत्र विगत स्नेह: संतोष परमं विद्रुः ।। जिनको ब्रह्मलोक पर्यंतके सुखों की स्पृहा नहीं है। जिनका मन सब विषयोंसे विरक्त है और जो विगन स्नेह आसक्ति रहित परम संतोषी है। वही परम सुखी है। हरेक अवस्थामें सर्वदा प्रसन्न शान्त रहनेका नाम संतोष है।
જેનું સંતોષ એ જ ભૂષણ છે તેને નિધાન પાસે જ છે. કામધેનુ તેની પાછળ ચાલે છે અને દેવો કિંકરની માફક આજ્ઞા ઉઠાવે છે. જે આત્મા આસકિતનો ત્યાગ કરે છે તે સંતોષના ઘરમાં આવે છે. “સંતોષી નર સદા સુખી” .
(૬) તપઃ- જેના દ્વારા તન અને મનની સંશુદ્ધિ થાય અને કંદો સહન કરવાની શક્તિ ઉત્પન્ન થાય તેનું નામ તપ. વૃત્તિઓને તપાવવી તે તપ.