SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ અનુભવ રસ હેમચંદ્રાચાર્યજી કહે છે, पतितं विस्मृतं नष्टं, स्थितं स्थापित्तमाहित। કહતે નાતીત સ્વં, પરવરીય વારિત સુધી: . કોઈનું પડી ગયેલું, ભૂલાઈ ગયેલું, નષ્ટ થયેલું, ઘરમાં હોય તે, થાપણ મૂકેલી, કોઈનું દાટેલું આવું કોઈપણ પ્રકારનું અન્યનું ધન લેવું તે ચોરી છે. કારણ કે ચોરીથી જીવ હિંસા કરતાં પણ અધિક દોષ લાગે છે. શ્રી હેમચંદ્રાચાર્યજી લખે છે, एक स्यैक क्षणं दु:खं, मार्यमाणस्य जायते। सपुत्र पौत्रस्थ पुनयविज्जीवं हते धने।। એક જીવને મારવામાં આવતાં મરનાર જીવને ક્ષણવાર દુઃખ થાય છે પણ ધનનું હરણ કરવાથી તો તેનાં પુત્ર, પૌત્રાદિ આખા કુટુંબને જિંદગીપર્યંત દુઃખ થાય છે. દરેક સાધકોને જીવન જીવવા માટે પદાર્થોની જરૂર રહે છે. પરંતુ એ આવશ્યકતાની પૂર્તિ પ્રામાણિકપણે કરવી જોઈએ. અપ્રમાણિકતા વ્યક્તિને વિરાટમાંથી વામન બનાવી દે છે. (૪) બ્રહ્મચર્ય- બ્રહ્મચારી વાનપ્રસ્થ અને સંન્યાસી જે બ્રહ્મચર્ય પાળે તે પ્રધાન છે અને ગૃહસ્થ સાધકો જે બ્રહ્મચર્ય પાળે તે ગૌણ છે. શ્રી યાજ્ઞવય સંહિતા માં કહ્યું છે, દરેક અવસ્થામાં મન, વચન, કાયા દ્વારા સદા, સર્વદા મૈથુનનો ત્યાગ તે છે બ્રહ્મચર્ય અર્થાત્ વિષયેન્દ્રિય દ્વારા પ્રાપ્ત થનારા સુખનો સંયમપૂર્વક ત્યાગ તે છે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્યની રક્ષા માટે ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે, जं विवितं मणा इण्णं, रहियं इत्थि जाणेणय। बम्भचेरस्स रक्खठ्ठा, आलयं तु निसेवण।। આદર્શ બ્રહ્મચારીએ બ્રહ્મચર્યની રક્ષા માટે સ્ત્રી, પશુ અને નપુંસકરહિત એવા એકાંત સ્થાને રહેવું જોઈએ. (પ) પરિગ્રહ:- પરિગ્રહ એટલે દેઢતાપૂર્વક પકડવું અને પરિગ્રહ એટલે દેઢતાપૂર્વક છોડવું. સંગ્રહવૃત્તિને પરિગ્રહ કહેવામાં આવે છે. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે,
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy