SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ અનુભવ રસ ત્યારે તેને એ દશામાં અમાપ લય લાગે છે અને તેમાં જ એ તરબોળ થઈ જાય છે. શ્રી મોતીચંદ કાપડિયા આ કડીનો અધ્યાત્મદૃષ્ટિએ અર્થ કરતાં કહે છે કે ઈડા=રાગમાર્ગ, પિંગલા=દ્વેષમાર્ગ, સુષુમ્ના મધ્યમાર્ગ અર્થાત્ રાગ-દ્વેષ રહિત માર્ગ. ઘર=પરિણામ, બહ્મરંધ્ર=આત્મસ્વરૂપ જ્ઞાન, આસનપુરી=સ્થિર થઈ, અન૰દ=અપાર, તાન=લય, બજાસી=વગાડશે. બાળુ=બંધુ, ભાઈ. સાધક, સાધનામાર્ગે કેવી રીતે પ્રગતિ કરે છે તથા તેથી શું આત્મલાભ થાય છે તે બતાવી કવિ સાધકની આચારસંહિતા તરફ દૃષ્ટિ કરે છે. આ પદની બીજી કડીમાં કવિ કહે છે, यम नियम आसन जयकारी, प्राणायाम् अभ्यासी । प्रत्याहार धारणा धारी, ध्यान समाधि समासी... 11311 યોગસાધક માટે યોગાચાર્યોએ અષ્ટાંગયોગસાધના કહેલ છે. “ ચમ नियमासन प्राणायाम प्रत्याहार धारणा ध्यान समाधयोऽष्टा बक्षानि" તેમાં યમ, નિયમ, આસાન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. પાતંજલયોગ પ્રમાણે પાંચ અંગ બહિરંગ છે ત્યારે ધારણા, ધ્યાન અને સમાધિ અંતરંગ છે. શ્રી બુદ્ધિસાગરજી મહારાજ લખે છે કે ‘યમ એટલે બાહ્ય ઇન્દ્રિયોનો નિગ્રહ્ન, આસન પર બેસવું, દૃષ્ટિ સ્થિર કરવી. યમઃ– અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ યમ કહેવાય છે. ‘પાતાંજલયોગ શિખોપનિષતમાં' કહ્યું છે, अहिंसा सत्यमस्तेय ब्रह्मचर्याऽ परिग्रहा यमाः ત્યારે યાજ્ઞવલય સંહિતામાં યમના દશ પ્રકાર કહ્યાં છે. अहिंसा सत्यमस्तेय, ब्रह्मचर्य दयार्जवम् । क्षमा धृतिर्मिताहार, शौचं चैव यमादश ।। અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, દયા, આર્જવ, ક્ષમા, ધૃતિ, મિતાહાર અને શૌચ એ દશ યમ કહ્યા છે. તેમાં (૧) અહિંસાઃ- યમમાં સર્વપ્રથમ અહિંસા છે. શ્રી સંહિતામાં કહ્યું છે,
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy