________________
અનુભવ રસ
- ૩૪ નામો છે જેમકે શૂન્યપદવી, બ્રહ્મરંધ્ર, મહાપથ, સ્મશાન, શાંભવી, મધ્યમાર્ગ. સુષુમ્ના શરીરની એક અતિ મહત્ત્વની નાડી છે. જે મેરુદંડના મધ્યભાગમાં આવેલી છે. ઈંડાને ચંદ્રનાડી કહેવામાં આવે છે. અને પિંગલાને સૂર્યનાડી કહેવામાં આવે છે. જે જમણી બાજુએ હોય છે. જેને વેદપ્રયાગતીર્થ કહે છે. તે ઉત્તમનાડી છે. સુષુમ્ના પ્રયાગમાં ગંગા-યમુના અને સરસ્વતી એમ ત્રણ નદીઓના સંગમ છે. તેમ રુદ્રયામલ તંત્ર પટલ “રપૂ” માં પ્રયાગ કહેલ છે. બાળોભોળો ચેતન ઈડા અને પિંગલાનો માર્ગ છોડી સુષુમ્નાના માર્ગ યોગમાર્ગનું ઘરબાંધી વાસ કરે છે. તે યોગમાર્ગની વિધિ છે. સર્વપ્રથમ પ્રાણવાયુને તાલુરંધથી ખેંચી અંદર ભરવો જેને “પૂરક” કહેવાય છે. પછી તેને નાભિના મધ્યભાગમાં રોકવો જેને “કુંભક' કહેવાય છે અને ભરેલાવાયુને અતિપ્રયાસથી ધીમે ધીમે બહાર કાઢવો જેને “રેચક” કહે છે.
સાધકે શુદ્ધ જગ્યા પર આસન પાથરી પ્રથમ વાયુનું રેચક કરવું. પછી ઈડાનાડીથી પગના અંગૂઠાથી બ્રહ્મરંધ્ર સુધી પૂરક કરવું પછી સર્વ પ્રથમ પગના અંગૂઠા ઉપર મનને રોકવું “જ્યાં મન ત્યાં પવન” એ ન્યાયથી મનને રોકતાં પવન પણ તેજ ઠેકાણે રોકાય છે. પછી અનુક્રમે પગનાં તળિયા ઉપર પાનીમાં, ગુલ્ફમાં, જંઘામાં, જાનુમાં, સાથળ, ગુદા, લિંગ, નાભિ, પેટ, હૃદય, કંઠ, જીભ, તાલુ, નાકના અગ્રભાગ ઉપર, નેત્ર, ભ્રકુટિ, કપાળ, મસ્તકમાં એમ એક પછી એક સ્થાનમાં આગળ વધતાં વાયુની સંઘાતે મનને છેવટમાં બ્રહ્મરંધ્ર સુધી લઈ જવું ત્યાર પછી તે જ ક્રમે પાછા ફરી પગના અંગૂઠામાં મન સહિત પવનને લાવી ત્યાંથી નાભિકમળમાં લઈ જઈ વાયુનો રેચક કરવો. સુષુમ્નાની જાગૃતિ કે ઉત્થાનને માટે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે “યોગશાસ્ત્રમાં જે પદ્ધતિનું વર્ણન કર્યું છે તે આ પ્રમાણે છે. આ સુષુમ્નાનાડીનું મુખ જ્યાં ખૂલે છે તે બ્રહ્મરંધ સ્થાનમાં જ્યારે પવન સ્થિરતા પામે ત્યારે એક અપૂર્વનાદ સંભળાય છે. તે “નાદ' નું માધુર્ય એટલું સુંદર હોય છે કે તેનું સામાન્ય રીતે વર્ણન કરવું મુશ્કેલ છે. આ નાદ સતત ચાલ્યા કરે છે. યોગશાસ્ત્રમાં એને “અનાહતનાદ' કહે છે. બાળોભોળો ચેતન આ અનાહના સાંભળે છે. કવિનો આશય છે કે સાધક જ્યારે આત્મસ્વરૂપમાં સ્થિરતા સાધે છે