________________
૩૩
અનુભવ રસ माहरो बालुडो सन्यासी, देह देवल मठवासी... माहरो ईडा पिंगला मारग तजी जोगी, सुषमना धर वासी ब्रह्मरंध्र मधी आसन पूरी बाबु, अनहद तान बजासी... माहरो
આ કડીમાં કવિએ યોગસાધનાની વાત કરી છે. કવિશ્રીએ ચેતનને પ્રારંભમાં બાળોભોળો કહ્યો છે. બાળોભોળો એટલે અનુકરણ બુદ્ધિયુક્ત. બાળક જેમ જેવું દેખે તેવું કરે અને સાંભળે તેવું બોલે, તેમ ચેતન પણ જેવું સાંભળે અને જુએ છે તેવું કરે છે. ભોળા શબ્દનો બીજો અર્થ “નિર્દોષ સરળ પણ થાય. ચેતન પણ આવી જ અવસ્થાવાળો હોવાથી દેહુરૂપ દેવળનો સ્વામી થઇને બેઠો છે પણ સદ્ગુરુના યોગે ચોથા આશ્રમમાં પ્રવેશ કરે છે. ચોથા આશ્રમવાસીને સંન્યાસી કહેવામાં આવે છે. ચારે ય આશ્રમનું વર્ણન કરતાં શ્રી મોતીચંદ કાપડિયા લખે છે કે “વર્ણાશ્રમ ધર્મમાનનારા બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યસ્ત એ ચાર આશ્રમ માને છે. બ્રહ્મચર્યાશ્રમમાં વિદ્યાભ્યાસ, ગૃહસ્થાશ્રમમાં ધનપ્રાતિ તથા પુત્ર-પરિવારનું પોષણ, વાનપ્રસ્થાશ્રમમાં પરિગ્રહ ત્યાગવૃત્તિ, અને સંન્યાસાશ્રમમાં નિઃસંગવૃત્તિનો અનુભવ કરવો તે ધર્મ બતાવ્યો છે. નિઃસંગભાવે વિચરતાં ચોથા આશ્રમવાસીને સંન્યાસી કહેવામાં આવે છે. જેમ આશ્રમવાસીઓ આશ્રમમાં રહે છે અને તેના સ્વામી બની જાય છે તેમ બાળોભોળો ચેતન દેહરૂપી મઠનો વાસી બની બેઠો છે. છતાં પણ દેહમાં મમત્વ ન રાખતાં મોક્ષપ્રાપ્તિનું ઉત્તમ સાધન માની યોગમાર્ગનો યોગી બને છે. શ્રી રત્નચંદ્રજી મહારાજ લખે છે કે જાણે એટલે
ધ્યાત્મનો એટલે યોગ. અર્થાત્ સંબંધ જોડવું. જે યોગ આત્મા સાથે જોડાય અથવા આત્મા સાથે યોગનું જોડાણ તે અધ્યાત્મયોગ છે. આ માર્ગમાં પ્રવેશ માટે સન્યાસી ચેતન પ્રથમ યોગસાધક બને છે. આ યોગસાધનાને ટૂંકાણમાં નીચે પ્રમાણે સમજાવી શકાય.
આ શરીરમાં બોંતેર હજાર નાડીઓ રહી છે. તેમાં મુખ્ય ચૌદ છે. તેમાં પણ પ્રધાન ત્રણ છે. તે છે ઈડા, પિંગલા અને સુષુમ્ના. ઈંડાનાડી મેરુદંડની બહાર ડાબી તરફ તથા પિંગલાનાડી જમણી બાજુએ લપેટાયેલી છે. સુષુમ્ના નાડી મેરુદંડની અંદર કંદનાભાગથી પ્રારંભ થઈ કપાળમાં રહેલ દશ સહસ્ત્ર કમળદળ પર્યત ચાલી જાય છે. આ સુષુમ્નાનાં અનેક