________________
૨૮
અનુભવ રસ નિષ્પક્ષ થઇ આત્માનું સ્વરૂપ વિચારતાં સત્યસ્વરૂપ પ્રકાશી શકે છે પણ અજ્ઞાની જીવો પોતાની ઊલટી દષ્ટિને કારણે પોતાની વાતોની પકડ લઈને બેસે છે. માટે જ કવિશ્રી આનંદઘનજી મહારાજે અભિનંદન સ્વામીના સ્તવનમાં કહ્યું છે કે –
અભિનંદન જિન દરશન તરસીએ દર્શન દુર્લભ દેવ. મત - મત ભેદે રે જો જઈ પૂછીએ, સહુ થાયે અહમેવ...”
અભિનંદન... આ રીતે કવિશ્રીએ ધર્મના મતભેદોની અંતરવેદના વ્યક્ત કરી છે. તેઓ આત્મધર્મના યથાર્થજ્ઞાન માટે સપ્તભંગી તથા નિક્ષેપ જ્ઞાનનો માર્ગ બતાવી સમાધાન સાધે છે. શ્રી આનંદઘનજી મહારાજે સપ્તભંગી, નય તથા નિક્ષેપ દ્વારા સર્વ ધમાવલંબીઓને સત્યમાર્ગ માટે સાચી દૃષ્ટિ આપી છે. તેઓ પોતાના શબ્દમાં કહે છે,
सर्वमयी सरवंगी माने, न्यारी सत्ता भावे। માનંવધન કમુ વન સુધારણ, પરમારથ કો પાવે.... ઝવધૂ.. ૪
વેદાંત દર્શનકારની એવી માન્યતા છે કે ઈશ્વર સર્વવ્યાપી છે. જગતનું એવું કોઈ સ્થાન નથી કે જ્યાં ઈશ્વર ન હોય જેમકે ભગવતગીતામાં કહ્યું છે,
पृथिव्या मप्पहं पार्थ, वाया वग्नौ जलेप्पहं। वनस्पति श्वाहं, सर्वभूत गतोप्पहं।। यो मां सर्वगतं ज्ञात्वा,न विहिसेत तदाचन।
तस्याहं न प्रणश्यामि, स च मे न प्रणश्यति।। (અહો! પાર્થ, હું માટી, પાણી, અગ્નિ, હવા, વનસ્પતિ અને સર્વભૂતમાં વ્યાપી રહ્યો છું. આ પ્રમાણે મને સર્વવ્યાપક જાણીને જે મારી હિંસા કરતો નથી તેનો હું પણ વધ કરતો નથી) શ્રી વિષ્ણુપુરાણમાં પણ લખ્યું છે,
जले विष्णुं, स्थले विष्णु, विष्णुं पर्वत मस्तके। . — ज्वाला माला फुले विष्णु, विष्णुं सर्व जगन्मयः।। (હે પાર્થ! હું જળમાં છું, સ્થળમાં પૃથ્વીમાં) છું, પર્વતના મસ્તક પર છું તો વનસ્પતિમાં પણ છું. અગ્નિમાં છું તો ફૂલ (હાલતાં-ચાલતાં) પ્રાણીમાં છું. હું સર્વ જગતમાં વ્યાપીને રહ્યો છું.)