SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ રસ શકેન્દ્ર સિંહાસન પર બેસીને ન્યાય તો કરે છે પણ તેનું મન દેવીઓમાં હોય તો તે વખતે તેને કેન્દ્ર ન કહેતા “શચિપતિ' કહેવો. આ નયવાળો ભાવનિક્ષેપને માને છે તથા વર્તમાનકાળને જ માને છે. આ પ્રકારે કવિએ આત્માને નાટકિયો કહેલ છે. કારણ કે તે વિવિધ પ્રકારના ખેલ કરી રહ્યો છે. છતાં જીવ તો જીવ જ છે. નયના સ્વરૂપ વડે જીવ સ્વશક્તિ તથા તેના ધર્મને જાણી શકે છે. આત્મવૈભવની યથાર્થશ્રદ્ધા પ્રમાણ દ્વારા પણ થઈ શકે છે. આત્મા વિષે પ્રવર્તતા વિભિન્ન. મતમતાંતરોનું નિરાકરણ પ્રમાણ દ્વારા થઈ શકે છે. પ્રમાણ પાંચ છે. પ્રત્યક્ષ, પરોક્ષ, અનુમાન, આગમ અને પ્રત્યભિજ્ઞાન. આ પાંચમાં બે પ્રમાણ મુખ્યરૂપથી પ્રચલિત છે. (૧) પ્રત્યક્ષ પ્રમાણ: પ્રત્યક્ષ પ્રમાણનું લક્ષણ બતાવતાં શ્રી વાદીદેવસૂરી લખે છે કેઃ સ્પષ્ટ પ્રત્યક્ષ. સ્પષ્ટ જ્ઞાનો પ્રત્યક્ષ વહતે હૈ શ્રી મોતીચંદ કાપડિયા લખે છે કે “માઁ પ્રતિતં પ્રત્યક્ષ” અક્ષ એટલે આત્મા. જેમાં જીવ પોતાના સ્વતંત્ર ઉપયોગથી દ્રવ્યને પ્રત્યક્ષ જાણે. પદાર્થના જ્ઞાન માટે ઇન્દ્રિઓ કે મનરૂપ સાધનની આવશ્યકતા ન રહે તે પ્રત્યક્ષ. આ જ્ઞાન સીધું આત્માથી થાય છે. માટે તે પ્રત્યક્ષ પ્રમાણ છે. (૨) પરોક્ષપ્રમાણઃ – સ્પષ્ટ પરોક્ષમ અસ્પષ્ટ જ્ઞાનને પરોક્ષ પ્રમાણ કહેવાય છે. જે ઇન્દ્રિયોની સહાયતાથી જ્ઞાન થાય તે પરોક્ષ જ્ઞાન છે અર્થાત્ જેમાં પદાર્થ અને આત્મા વચ્ચે ઇન્દ્રિયોનું માધ્યમ રહે તે પરોક્ષપ્રમાણ છે. અન્ય દર્શનકારો આંખે દેખાતા પદાર્થને પ્રત્યક્ષ કહે છે ત્યારે જૈન દર્શનકાર તેને પરોક્ષ કહે છે. આ પ્રકારે નટનાગરની બાજી જાણવા આત્મતત્ત્વ પ્રથમ જાણવું જરૂરી છે. સર્વ દર્શનકારો પોતાના મતાનુસાર આત્માની વાતો કરે છે પણ જે પોતાના મતમાં મસ્ત છે તે આત્માને એક સ્વરૂપે જ જુએ છે. તેથી કોઈ ઈશ્વરને જગતનો કર્તા માને છે. કોઈ ઈશ્વર તથા આત્મામાં ભેદ જુએ છે તો કોઈ વળી આત્માને ઈશ્વરનો અંશ માને છે પણ તેમાં આત્માની વાસ્તવિક દશાનું કોઈ પ્રમાણ નથી. આત્માનો પ્રત્યક્ષ અનુભવ થયા પછી અર્થાત્ આત્મસાક્ષાત્કાર થયા પછી જે તેના વાસ્તવિક સ્વરૂપને જાણે છે તે જ પ્રમાણભૂત બની જાય છે અથવા
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy