________________
૨૫
અનુભવ રસ જેમ કહ્યું છે,
पर्येति उत्पाद-विनाशौ प्राप्नोतीति पर्यायः स एवार्थ सोऽस्तिपस्यासौ पर्यायार्थिक:
જે ઉપજવા તથા વિનાશના પરિણામયુક્ત છે તે પર્યાય. ગુણ સાપેક્ષ અનંત નો થાય છે અને પર્યાય સાપેક્ષ પણ અનંત નો થાય છે પરંતુ મૂળ ભેદે સાત નય છે.
(૧) નૈગમ નયઃ જીવના અસંખ્યાત પ્રદેશમાંથી આઠ રૂચક પ્રદેશ નિરંતર સિદ્ધ સમાન ઉજ્જવળ છે. તે અંશ લઈને કહે છે કે જીવ સિદ્ધ સમાન છે તે નૈગમ નય દ્રવ્યાર્થિક નય છે. આ નયવાળાનો એક સરખો અભિપ્રાય હોતો નથી. તે કોઈ વખત દ્રવ્યારોપણ તો કોઈ વખત ગુણારોપણ કે કાળારોપણ કરે છે. તો કોઈ વખત કારણારોપણ પણ કરે છે.
(૨) સંગ્રહનઃ જેમ કે જીવદ્રવ્યની વાત કરતાં, જીવના અનંત ગુણ તથા પર્યાય સાથે લઈ લે. જે ધર્મ દ્રવ્યમાં વ્યાપક હોય તથા સતા ગત્ હોય તેને સંગ્રહીને વાત કરે જેમકે જીવ દેવ્યનો ચેતનધર્મ.
દા. ત. ઘોડો તૈયાર કર. આ વાક્ય સાંભળતા ઘોડોં ઉપર બેસવા પલાણ નાખવું, ચડવા લોખંડની કડી વગેરે મૂકવી, ચાબુક કે લગામ તૈયાર કરવી આ સંગ્રહનયનો વાક્ય પ્રયોગ છે. આ નય સામાન્ય વિશેષને ગ્રહણ કરે છે.
(૩) વ્યવહારનયઃ આ નયવાળો સર્વની વહેંચણી કરે છે. વિભાગ જુએ છે અને તે સર્વ બાહ્ય સ્વરૂપ દેખીને જ કરે છે. આ નયવાળો અંતરંગ સત્તા માનતો નથી. બહારની ઉપર ઉપરની આચાર ક્રિયાને પ્રાધાન્ય આપે છે. તે કારણે શુભ-અશુભ, શુદ્ધ-અશુદ્ધ, અનુપચરિત એવા અનેક ભેદ પડે છે. જેમ કે પાપક્રિયા કરનારનો અશુભ વ્યવહાર અને પુણ્યક્રિયા કરનારનો શુભ વ્યવહાર.
શ્રી દેવચંદજી મહારાજ લખે છે –
"ऋजु श्रुतं सुज्ञान बोधरूपं तपश्च ऋजु अवक्रम श्रुतमस्य सोऽपमृजु श्रुतः
(૪) ઋજુ સૂત્રઃ ઋજુ એટલે સરલ. શ્રુત એટલે બોધ આ નયવાળો