SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ અનુભવ રસ (६) स्यान्नास्त्येव स्यादवक्तव्यमेवेति निषेध कल्पनया युगपद, विधि-निषेध कल्पनया च षष्ठः કથંચિત્ સર્વ પદાર્થ નથી અને કથંચિત્ અવક્તવ્ય છે. આ રીતે નિષેધની કલ્પનાથી અને એક સાથે વિધિનિષેધની કલ્પનારૂપ છઠ્ઠો ભંગ છે. (७) स्याद्स्त्येव स्यान्नास्त्येव स्यादवक्तव्य मेवेति क्रमतो विधि-निषेध कल्पनया युगपद् विधि-निषेध कल्पनया च सप्तम “TI તિ કથંચિત્ સર્વ પદાર્થ છે, કથંચિત્ નથી, કથંચિત્ અવક્તવ્ય છે. આ રીતે ક્રમથી વિધિ-નિષેધની કલ્પનારૂપ અને યુગપદ વિધિ-નિષેધની કલ્પનારૂપ સાતમો ભંગ છે. આજ વાતને જીવ ઉપર ઉતારવામાં આવે છે જેમ કે : (૧) સ્યા અસ્તિ - જીવ દ્રવ્ય સ્વક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાથી છે. (૨) સ્યાત્ નાસ્તિ - જીવ દ્રવ્યમાં પર દ્રવ્યના ગુણ-૫ર્યાય નથી. (૩) સ્યાત્ અસ્તિ – નાસ્તિ – જીવ દ્રવ્યમાં સ્વગુણ – પર્યાયનો અસ્તિભાવ અને પર દ્રવ્ય ગુણ-પર્યાયનો નાસ્તિભાવ એક સમયે હોય છે માટે અસ્તિ-નાસ્તિ. (૪) સ્યાત્ અવક્તવ્યઃ જીવ દ્રવ્યમાં એક વખતે અતિનાસ્તિભાવ સાથે હોય છે પરંતુ અસ્તિભાવ કહેવામાં અસંખ્ય સમય વ્યતીત થઈ જાય છે. એક સમયે એક સાથે અતિ નાસ્તિભાવ કહી શકાતો નથી માટે સ્યાત્ અવક્તવ્ય કહેવામાં આવે છે. (૫) સ્યાત્ અતિ અવક્તવ્ય:- જીવ દ્રવ્યમાં જે ગુણ – પર્યાય છે તે એક સમયે એક સાથે કહી શકાય નહીં. તીર્થકર કે સર્વજ્ઞ પરમાત્મા એક સમયે અસ્તિ-નાસ્તિ વગેરે ભાવોને જાણી, જોઈ શકે છે પરંતુ તેઓ પણ એક સમયે બંને ભાવોને કે બંને ભાવમાંથી એક ભાવને સંપૂર્ણ રીતે કહી શકાતા નથી માટે સ્યાત્ અતિ અવક્તવ્ય છે. (૬) સ્યાત્ નાસ્તિ અવક્તવ્ય - જીવ દ્રવ્યમાં પર દ્રવ્યનાં વર્ણ, ગંધ, રસ, સ્પેશ વગેરે એક પણ ગુણધર્મ નથી છતાં એક સમયમાં તે કહી શકાય નહીં માટે સ્યાત્ નાસ્તિ અવક્તવ્ય.
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy