SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ રસ ૨૨ એક જીવ છે તે અનેક રૂપો ધારણ કરે છે. અનેક આકારો ધારણ કરે છે. અનેક નામ ધારણ કરે છે. વળી અનેકના એક થઈ જાય છે પણ તેનું મૂળ આત્મત્વ તો એક જ છે. એકના અનેકરૂપો ગુણ – પર્યાયથી થાય છે. જૈન દર્શનની સાપેક્ષદષ્ટિને સમજવા એની સપ્તભંગીનો પરિચય શ્રી આનંદઘનજી મહારાજ આ પદની ત્રીજી કડીમાં કરાવે છે. है नांहि है बचन अगोचर, नय प्रमाण सत्भंगी। નિરપવ હોય નવે વિરતા, વયા રેલ્વે મત નં? વધુ..રૂ .. સપ્તભંગીના માધ્યમથી કવિએ જીવની નિત્યાનિત્યતા સાબિત કરી, નટનાગરની રમતનું રહસ્ય આ કડીમાં ખોલ્યું છે. જેમકે પ્રમાણ નય તત્વલોકમાં શ્રી વાદીદેવસૂરિજી કહે છે, (૧) “ચાયૅવ સર્વનિતિ વિધિ કૃત્યના પ્રમો મહું: ” સ્થાત્ સર્વ પદાર્થ છે આ પ્રમાણે વિધિ કલ્પનાથી પ્રથમ ભંગ થાય છે. (૨) ચા નાસ્તિ ઝવ સમિતિ નિષેધ વરુત્વનયા દ્રિતીયો મહુ કથંચિત્ સર્વપદાર્થ નથી આ પ્રમાણે નિષેધની કલ્પનારૂપ બીજો ભંગ. (3) स्याद स्त्येव स्यान्नास्त्येव क्रमतो विधि निषेध कल्पनया तृतीयः કથંચિત્ સર્વ પદાર્થ છે. કથંચિત્ નથી. આ રીતે ક્રમથી વિધિ અને નિષેધની કલ્પનારૂપ ત્રીજો ભંગ છે. (४) स्यादवकतव्य भेवेति युगपद विधि निषेध कल्पनया चतुर्थः કથંચિત્ સર્વ પદાર્થ અવક્તવ્ય છે. આ પ્રકારે વિધિ – નિષેધની કલ્પનારૂપ ચોથો ભંગ છે. (५) स्यादस्त्येवेव स्याद वक्तव्यमेवेति विधि कल्पनया युगपद विधि-निषेध कल्पनया च पंचम: કથંચિત્ સર્વ પદાર્થ છે અને કથંચિત્ અવક્તવ્ય છે. આ પ્રકારે વિધિની કલ્પનાથી અને એક સાથે વિધિ- નિષેધની કલ્પનાથી પાંચમો ભંગ થાય છે.
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy