________________
૧૯
પદ-૫
અનુભવ રસ
"अवधू नट नागर की बाजी "
શ્રી આનંદઘનજી મહારાજે પદો દ્વા૨ા પોતાના અનુભવોનો ઉત્તમ નિચોડ આત્માર્થી જીવો માટે આપ્યો છે. આત્માર્થી જ્યારે ૫રમાત્માની સાચી ખોજ કરે છે ત્યારે તેને પોતાનામાં જ પરમાત્મા દૃશ્યમાન થાય છે. જ્યારે સ્વમાં પરમજ્યોતિ સ્વરૂપ પ્રભુનાં દર્શન થાય છે ત્યારે તેની બાહ્યદશા પણ વિલક્ષણ જણાય છે.
શ્રી આનંદઘનજી મહારાજ પાંચમા પદની પ્રથમ કડીમાં કહે છે, अवधू नट नागर की बाजी जाणें न बांभण काजी थिरता एक समयमें ठाने, उपजे विणसें तब ही લદ - પુનદ ધ્રુવ સત્તા રાહુઁ, યા હમ સુનીન વ્ દી અવય્।। રૂ।।
આ પદમાં કવિએ આત્માની ઉચ્ચદશાની વાત કરી છે. જે વાતો વેદ, પુરાણ કે કુરાનમાં પણ જોવામાં આવતી નથી એવી આત્માની સ્વતંત્ર સત્તાની વાતો છે.
સાંખ્ય દર્શન – આત્માને માત્ર નિત્ય માને છે.
બૌદ્ધ દર્શન- આત્માને અનિત્ય અથવા ક્ષણિક માને છે. એમ ભિન્નભિન્ન દર્શનો ભિન્નભિન્ન દૃષ્ટિથી આત્માનાં લક્ષણો જણાવે છે, ત્યારે જૈન દર્શને અનેકાન્ત દૃષ્ટિથી આત્મતત્ત્વનો સાચો પરિચય કરાવ્યો છે. વળી દ્રવ્યનું વાસ્તવિક સ્વરૂપ આ પદમાં વર્ણવ્યું છે. દ્રવ્યનો અર્થ છે ‘પ્રવૃતિ કૃતિ દ્રવ્યમ્' જે ક્ષણે ક્ષણે પલટાયા કે તે દ્રવ્ય. ભગવાન ઉમાસ્વાતિજીએ કહ્યું છે કે “ઉત્પાવ, વ્યય, બ્રોવ્ય યુક્ સત્” જૈનદર્શન જગતમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય ને કાળ એ છ દ્રવ્યનો સ્વીકાર કરે છે. બધાં જ દ્રવ્યો સત્ સ્વરૂપ છે. જેનો મૂળભૂત કદી નાશ થતો નથી. અવસ્થાઓ બદલાયા કરે. દ્રવ્ય, દ્રવ્યરૂપે હંમેશાં રહે છે. એટલે કે દ્રવ્યની વ્યાખ્યા કરતાં ભગવાન ઉમાસ્વાતિજી લખે છે કે “મુળ પર્યાયવન્ દ્રવ્ય " જે ગુણ અને પર્યાયથી યુક્ત હોય તે દ્રવ્ય.
"