________________
૧૭
અનુભવ ૨સ
કવિશ્રી આનંદઘનજી આ પદની ત્રીજી કડીમાં કહે છે,
कहां दिखावुं औरकुं, कहां समजाउ भोर; तीर अचूक है प्रेमका, लागे सो रहे ठोर... સુહા... || રૂ || ચેતન કહે છે કે મારી સ્થિતિ હું કોને કહું ? અને ભોળાપ્રાણીઓને મારા આ સ્વરૂપને હું કેમ સમજાવું? કારણ કે ઘાયલની વેદના સાજો માણસ શું જાણે ? તેમ જેને પ્રેમબાણ વાગ્યું હોય એ તો સ્થિર જ થઈ જાય છે. આવી ઉત્તમ અનુભૂતિને વાણી દ્વારા કે શબ્દોમાં કેવી રીતે કહી શકાય ? કે વાક્યોમાં કેવી રીતે ગૂંથી શકાય ? ચેતન કહે છે કે હે શુદ્ધ ચેતના ! મને મારા આત્મવૈભવના દર્શન થતાં જે આનંદ થયો છે તે હું વ્યક્ત કેવી રીતે કરૂં ? આ તો રામબાણ છે તેની પીડા તો જેને વાગ્યું હોય તે જ જાણે અને જેને વાગે એ તો સ્થિર જ થઈ જાય અર્થાત્ અનુભવ સમયના અંતરભાવોને વર્ણવા માટે બધા શબ્દો અધૂરા લાગે છે. જેને આવું તીર વાગ્યું હોય તેનાં ચિત્તની ચંચળતા દૂર થઇ જાય છે અને એક શુદ્ધાત્મદશાની અનુભૂતિ તથા પ્રતીતિમાં વસી જાય છે.
આ સ્થિરતારૂપ જે સ્થિતિ તે ચારિત્ર છે. હવે આ ગુણ પ્રગટ થયો છે તેમ કવિ ચેતનના આધારે કહે છે. જેમ જેમ મન શાંત થાય છે તેમ તેમ અંતરનો અવાજ સંભળાય છે.
તેથી કવિશ્રી આનંદઘનજી આ પદની છેલ્લી કડીમાં કહે છે, नादविलुदधो प्राणकुं, गिने न तृण मृग लोय; आनंदघन प्रभु प्रेमकी, अकथ कहानी कोय...
YET... ||૪|| જેમ રાગમાં આસકત મૃગ પોતાના પ્રાણની તણખલા જેટલી પણ કિંમત ગણતો નથી તેમ આનંદઘન પ્રભુની પ્રેમ કથા પણ કહી શકાય નહીં તેવી છે.
આત્મપ્રભુના રંગી અને શુદ્ધદશાના ઉમંગી એવા ભક્તને આનંદઘનપ્રભુનું મિલન અવશ્ય થાય છે. જેને એક વખત પણ એવું સ્વરૂપ પ્રાપ્ત થાય છે એવા ચક્રવર્તીઓ પણ પોતાની અખૂટસંપત્તિને તૃણની જેમ ગણી છોડી દે છે. એક વખત સ્વરૂપાનુભવ કર્યાં પછી વારંવાર તે કક્ષામાં જવાની તેને રઢ લાગે છે. તેથી આત્મપ્રભુને મેળવવા જંગલો, પહાડો અને ગુફાઓનાં એકાંતસ્થાનમાં તેઓ ચાલ્યા જાય છે. ત્યાં