SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ સામ્યશતક ૯૧ શ્લોક-૧ येनैव तपसा प्राणी मुच्यते भवसंततेः । तदेव कस्यचिन्मोहाद् भवेद् बन्धनिबन्धनम् ॥ અર્થ – જે તપથી જીવાત્મા આ સંસારપરંપરાથી મુક્ત થાય છે, તે જ તપ મોહના કારણે કોઈ પુરુષના સંસારબંધનનું કારણ થાય છે. ભાવાર્થ – તપનો પરમાર્થ સમજી, આત્મપ્રાપ્તિ અર્થે થતાં તપ મોક્ષમાર્ગે સહાયકારી થાય છે; પરંતુ જો તપ વડે આત્મશુદ્ધિ કરવાનો લક્ષ ન હોય તો તે તપ નિર્જરાનું કારણ બનતાં નથી. જો તપથી શુભ પરિણામ રહે તો શુભ કર્મોનો બંધ થાય છે અને જો તપ કરીને અહંકારની વૃદ્ધિ થતી હોય, માન-સત્કાર આદિની આકાંક્ષા રહેતી હોય તો તે તપથી અશુભ કર્મો બંધાય છે. ઇચ્છાનિરોધ એ તપ છે, જેનાથી મલિન વૃત્તિઓનો નાશ થાય છે, ચિત્ત શાંત થાય છે; તેના બદલે લૌકિક ભાવની વૃદ્ધિ થાય તો તે સંસારવૃદ્ધિનું કારણ બને છે. આમ, મોહાધીન થઈ કરવામાં આવેલાં તપ આત્મઘાતક નીવડે છે.
SR No.007163
Book TitleSamya Shatak
Original Sutra AuthorN/A
AuthorVijaysinhsuri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2004
Total Pages1320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy