________________
૯૦
સામ્યશતક
શ્લોક-૦
તપ: I
शीर्णपर्णाशनप्रायैर्यन्मुनिस्तप्यते औदासीन्यं विना विद्धि तद्भस्मनि हुतोपमम् ॥
અર્થ સૂકાં પાંદડાંનો આહાર કરવારૂપ જે તપ મુનિજન કરે છે, તે તપ સમતા વિના કરવામાં આવે તો તે રાખમાં હોમેલા પદાર્થ જેવું સમજો.
-
ભાવાર્થ ઉપવાસ, રસત્યાગ આદિ બાહ્ય તપ કષાયોને ઉપશાંત કરવા, વિષયોથી વિરક્ત થવા, ઇન્દ્રિયોને વશ કરી વિષયવિકારો ઉપર વિજય મેળવવા, રાગ-દ્વેષને ક્ષીણ કરવા, ચિત્તવૃત્તિની શુદ્ધિ કરવા, માધ્યસ્થ્યભાવની પુષ્ટિ કરવા માટે કરવામાં આવે છે. પરંતુ આ લક્ષ વિના, સંસારથી ઉદાસીન થયા વિના માત્ર સૂકાં પાંદડાંનું ભોજન લેવું તે તપ નથી. જેમ રાખમાં હોમેલા ઘીથી અગ્નિની પ્રાપ્તિ થતી નથી, પણ તે ઘી નકામું જાય છે; તેમ સમતાભાવ વિનાના તપ વડે આત્મશુદ્ધિ થતી નથી. તે તપ મોક્ષાર્થે નિષ્ફળ જાય છે.