SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ८८ સામ્યશતક બ્લિોક-66 स्फुरत्तृष्णालताग्रंथिर्विषयावर्तदुस्तरः । क्लेशकल्लोलहेलाभिभैरवो भवसागरः ।। અર્થ – આ સંસારરૂપ સમુદ્રમાં તૃષ્ણારૂપી લતાગ્રંથિઓ સ્કુરાયમાન થાય છે, વિષયોરૂપ આવર્તેથી તે દુસ્તર છે અને ક્લેશરૂપ તરંગોની ક્રીડાથી ભયંકર છે. ભાવાર્થ – જ્ઞાની ભગવંતોએ સંસારને સમુદ્રની ઉપમા આપી એનું જ સ્વરૂપ દર્શાવ્યું છે, તે જો યથાર્થ રીતે રહણ થાય તો આ અનંત, અપાર સંસારસમુદ્ર તરીને ભવપાર થઈ શકાય. પરંતુ આ દુસ્તર, ભયંકર ભવસાગરમાં અનંત કાળથી જીવો ડૂબી રહ્યા છે, અશાંતિની ગર્તામાં ખોવાઈ ગયા છે, કારણ કે સંસારસમુદ્રમાં તૃષ્ણારૂપી લતાઓ ખૂબ જ વિશેષ પ્રમાણમાં ફેલાયેલી હોવાથી, તેમાં તરનાર એ લતાઓમાં અટવાઈ જાય છે. વળી, વિષયોની ખતરનાક ભમરીઓથી ભરેલા આ સંસારસમુદ્રમાં તરનાર એ ભમરીઓમાં ફસાઈ જાય છે. તેમાં ક્લેશરૂપ તરંગો એટલા ઊંચા ઊઠે છે કે તરનાર એની સાથે ઊછળી, ઊછળીને પછડાઈ જાય છે અને તેમાં ડૂબી જાય છે. માં હા એટલા બજ ઊછળી. છે
SR No.007163
Book TitleSamya Shatak
Original Sutra AuthorN/A
AuthorVijaysinhsuri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2004
Total Pages1320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy