SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ सूते सुमनसां कंचिदामोदं समतालता यद्वशादाप्नुयुः सख्यसौरभं नित्यवैरिणः ॥ સામ્યશતક શ્લોક-૯૪ અર્થ સમતાલતા સારા મનવાળાને કોઈ સુગંધ આપે છે, જે સુગંધના કારણે નિત્ય વૈર રાખનારાં પ્રાણીઓ પણ મૈત્રીનું સૌરભ પ્રાપ્ત કરે છે. - ભાવાર્થ જેને ઇચ્છિત પ્રાપ્ત ન થાય તે સ્વયં દુઃખી છે, તો તે બીજાને શું આપી શકે? જેને પોતાને જ હજી કંઈ જોઈએ છે, તેની પાસે બીજાને આપવા માટે કંઈ જ હોતું નથી. વળી, હજી જેને જોઈએ છે, તેની પોતાની પાસે અશાંતિ, ક્લેશાદિ હોય છે; તેથી તે કોઈને કંઈ આપવા ઇચ્છે કે ન ઇચ્છે તોપણ જે તેની પાસે છે એ જ તે આપે, અર્થાત્ ક્લેશાદિ જ આપે. જ્યારે સમત્વભાવમાં રમણતા કરનાર જીવને એવો સંતોષ વર્તે છે કે તેઓ સદા આનંદમાં રહે છે, સદા સુખી હોય છે; એટલે તેઓ કોઈને કંઈ આપવા ઇચ્છે કે ન ઇચ્છે, તેમની પાસેથી તો શાંતિ, આનંદ જ પ્રાપ્ત થાય છે. તેઓ તો મિત્ર-શત્રુ આદિ સંબંધોથી પર થઈ ગયા છે, પણ તેમને શત્રુ માનનાર તેમની પાસે આવે તો તે શત્રુ પણ મિત્રતાનું સૌરભ જ પ્રાપ્ત કરે છે. -
SR No.007163
Book TitleSamya Shatak
Original Sutra AuthorN/A
AuthorVijaysinhsuri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2004
Total Pages1320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy