________________
સામ્યશતક
૯૩
શ્લોક-૯૩
वशीभवन्ति सुन्दर्यः पुंसां व्यक्तमनीहया ।
यत्परब्रह्मसंवित्तिनिरीहं श्लिष्यति स्वयम् ।। અર્થ – નિસ્પૃહ પુરુષને પરબ્રહ્મની સંવિત્તિ (જ્ઞાન) સ્વયં જ આલિંગન કરે છે. જેમ સ્પૃહારહિત મનુષ્યને સુંદર સ્ત્રીઓ સ્વયં જ વશ થાય છે એ વાત સ્પષ્ટ છે. ભાવાર્થ – સંસારમાં જે પુરુષ સુંદર સ્ત્રીઓ પાછળ ભાગતો નથી, તેને સુંદરીઓ સ્વયં વશ થાય છે. તેમ જેને આ લોકની અલ્પ પણ સુખેચ્છા રહી નથી, તેને આત્મજ્ઞાન સામેથી આવીને મળે છે. હજી જેને સંસારમાંથી કંઈ જોઈએ છે, સંસારમાંથી સુખ મળશે એવી આશા છે; તે ગમે તેટલો પ્રયત્ન કરે તો પણ તેને આત્મપ્રાપ્તિ થતી નથી, સ્વરૂપાનંદ મળતો નથી. પરંતુ જેને કોઈ સ્પૃહા નથી, જેને કંઈ પણ પ્રાપ્ત થાય કે ન થાય હર્ષ-શોકાદિ થતા નથી, જેને કિંચિત્ માત્ર પણ રહવું નથી; તે આત્મસંપત્તિનો, આત્મિક સુખનો સ્વામી બને છે.