________________
પંચાસ્તિકાય
આત્મા અનંત છે. તે સર્વને વેદાંત એક જ બ્રહ્મ માને છે. એમ જૈન અને વેદાંતમાં મહાન ભેદ છે. संठाणा संघादा वण्णरसप्फासगंधसद्दा य । पोग्गलदव्वाप्पभवा होति गुणा पज्जया य बहू ॥१२६॥ संस्थानानि संघाताः वर्णरसस्पर्शगंधशब्दाश्च । पुद्गलद्रव्यप्रभवा भवन्ति गुणाः पर्यायाश्च बहवः ॥१२६।।
અર્થ : સંસ્થાન, સંઘાત, વર્ણ, રસ, સ્પર્શ, ગંધ અને શબ્દ એમ પુદ્ગલદ્રવ્યથી ઉત્પન્ન થતા ગુણપર્યાયે ઘણું છે.
વિવેચન : બેલવું, ચાલવું, ખાવું, પીવું, વગેરે સર્વ પુદ્ગલ છે. જ્યાં જોઈએ ત્યાં માયાના રંગ–પુદ્ગલજાલ તમાસા છે.
अरसमरूवमगंधमव्यत्तं चेदणागुणमसई । जाण अलिंगग्गहणं जीवमणिविसंठाणं ॥१२७॥
अरसमरुपमगंधमव्यक्तं चेतनागुणमशब्दं । जानीह्यलिङ्गग्रहणं जीवमनिर्दिष्टसंस्थाने ॥१२७।।
અર્થ : અરસ, અરૂપ, અગંધ, અશબ્દ, અનિર્દિષ્ટ સંસ્થાન, અને વચનઅગોચર એ જેને ચૈતન્યગુણ છે તે “જીવ છે.
વિવેચન : નિશ્ચયથી આત્માના ગુણ વિચારવા, જડના ગુણે વિચારવા ને ભેદ સમજે. ભેદજ્ઞાન કરવું. જીવનું સ્વરૂપ વચનથી કહી શકાય એવું નથી. “અનુભવગેચર માત્ર રહ્યું તે જ્ઞાન જે.” जो खलु संसारत्थो जीवो तत्तो दु होदि परिणामो । परिणामादो कम्म कम्मादो होदि गदिसु गदी ॥१२८॥