________________
- દ્રષ્ટિનો વિષય
આમ બુદ્ધિપૂર્વક તો જિનવાણી વાંચવાની છે, ગુરૂમુખે સાંભળવાની છે, અને તત્વનો અભ્યાસ કરવાનો છે. એ સિવાય બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ ઉપાય નથી.
સંજ્વલન કષાય અને નવ નોકષાયના નાશ માટે જે કરણલબ્ધિ પ્રગટે છે તે ૮, ૯ અને ૧૦ ગુણસ્થાનમાં હોય છે.
૧૧. પ્રશ્ન- શરીર ઉપર ઠંડું પાણી નાખીને પંખા નીચે બેસી જઈએ ત્યારે જે શીતળતાનો અનુભવ થાય અથવા શરીર ઉપર ચીટીયો ભરીએ ત્યારે જે વેદનાનો અનુભવ થાય, આ અનુભવ જેને થાય છે તે આત્મા તે હું છું - આવા પ્રયોગ દ્વારા આત્માને પકડી શકાય કે નહીં?
ઉત્તર નહીં ! આત્માના ધ્યાન માટે પરની પંચમાત્ર પણ આવશ્યક્તા નથી. ન પાણી નાખવાની કે ન અગ્નિ તપાવવાની. આપણી જ્ઞાનની પર્યાય આત્માને જાણતી રહે તેનું નામ ધ્યાન છે. એમાં પાણી વિગેરે કયાંથી આવી ગયા? આત્માનો જ્ઞાનસ્વભાવ છે, તેને પકડો. એ લક્ષણ છે. લક્ષણથી લક્ષ્યને પકડવામાં આવે છે.