________________
૭૮ -
- દ્રષ્ટિનો વિષય થતા રહેવા દો. એ વિકલ્પોને છોડવા પડતા નથી, તેઓ તો જાતે છૂટી જાય છે. " નિર્ધારણ થતાં દેશનાલબ્ધિ થઈ જાય છે, ત્યારે આ જે હું છું એ નિર્ધારણમાં નક્કી થઈ ગયું તેનો એટલો રસ પરિપાક થશે કે તેના વિના ચેન નહિ પડે. નિરંતર તે રસ પરિપાક એટલો વધતો જશે કે વધતાં વધતાં આત્મા સ્વયમેવ કરણલબ્ધિમાં પહોંચી જશે.
જ્યારેદ્રષ્ટિના વિષયમાં અહમપણું આવી જાય છે ત્યારે એક મિનિટ તેના વગર ભારે પડે છે ભાઈ! છ મહિના છ વર્ષ જેવા લાગે છે!
જે વિકલ્પાત્મક જ્ઞાનમાં સાચો નિર્ણય નહિ થાય તો ગાડી અહીં જ રોકાઈને રહી જશો. માટે બધો જ પુરૂષાર્થ દ્રષ્ટિના વિષય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને સમજવામાં લગાડી દો. બસ બુદ્ધિપૂર્વક આ જ પુરૂષાર્થ છે, બીજો કોઈ પુરૂષાર્થ નથી. ત્યાર બાદ તો તે ઓટોમેટીક પ્રક્રિયામાં ચડી જશે અને તમારાથી કાંઈ કર્યા વગર જ અનુભવ થઈ જશે. નિર્ણય કર્યા બાદ બાકી બધું એની મેળે જ થવાવાળું કામ છે, તેમાં તમારે કાંઈ કરવાનું નથી. જૈન ધર્મ ‘કરવાનું નામ નથી, પરંતુ કરવાનું બંધ કરવાનું નામ છે. આત્માનુભૂતિનો માર્ગ કરવાનો નથી, પરંતુ જે કાંઈ કરી રહ્યાં છીએ તેને બંધ કરવાનો માર્ગ છે.
જો આપને નિર્ધારણ થઈ ગયું હોય તો વધુ વિકલ્પ ન કરો, પરંતુ જો નિર્ધારણ ન થયું હોય તો તે કરવામાં જ લાગી રહો. ત્યાર બાદ બધી પ્રક્રિયા ઓટોમેટીક છે.
૧૦. પ્રશ્ન- કરણલબ્ધિ વિષે થોડી માહિતી આપશો ? ઉત્તર:- રુચિની તીવ્રતાને લીધે રસનો પરિપાક થાય છે. કરવાની