________________
જ્ઞાનગોષ્ટિ
૦
૭.
વાત જે કહી રહ્યાં છે, તે શું છે ? તેને પકડમાં લેવી. આમાં
મન નિમિત્ત છે. ૩. ધારણ : સાંભળેલી અને સમજેલી વાતને યાદ રાખવી. ૪. નિર્ધારણ : નિર્ણય કરવો. પરીક્ષા કરીને નિર્ધારણ કરવું કે આ
વાત સાચી છે કે ખોટી ? ધારણ કરેલી વાતનો શાંતિથી વિચાર કરીને નિર્ણય કરવો. જેમ ગાય પહેલાં ખાઈ લે છે અને પછી
શાંતિથી તેને કાઢીને વાગોળે છે તેમ. ૫. પરિણમન:નિર્ધારણ થયા પછી પરિમણન થાય તે કરણલબ્ધિ.
પરિણામોની ઉગ્રતાની તારતમ્યતાની અપેક્ષાએ આધાકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એવા ત્રણ કરણો કહેવાય છે. મિથ્યાત્વના નાશ માટેના કારણો અને સંજવલન કષાયના નાશ માટેના કરણો અલગ અલગ હોય છે.
બુદ્ધિપૂર્વક તો આપણે શ્રવણ, ગ્રહણ અને ધારણ કરવાનું છે. ત્યાં સુધી દેશના થઈ. પછી શાંતિથી નિર્ધારણ કરતાં દેશનાલબ્ધિ થાય છે. જ્યારે કોઈ પણ શંકા વિના, તર્ક અને યુક્તિથી પાકો નિર્ણય થઈ જશે, દ્રષ્ટિનો વિષય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા પૂરેપૂરી રીતે સમજમાં આવી જશે, એમાં કોઈ કસર નહિ રહી જાય ત્યારે આપણી નિર્ધારણની પ્રક્રિયા પૂરી થશે.
વિકલ્પની ઉત્પત્તિની ચિંતા ન કરવી. દ્રષ્ટિના વિષય સંબંધી જેટલા વિકલ્પો ઉત્પન્ન કરી શક્તા હો તેટલા કરજો. વિકલ્પ તો ઘરગૃહસ્થીસંસારના છોડવાના છે. તે તો છોડવા નથી અને ત્રિકાળી, ધ્રુવના વિકલ્પોથી ડરો છો ? અનંત શુભાશુભ વિકલ્પો તો કરી રહ્યાં છો, તેને છોડવાના છે. દ્રષ્ટિના વિષય ભગવાન આત્મા સંબંધીના વિકલ્પોને તો