________________
દ્રષ્ટિનો વિષય
થયો, ત્રિકાળીમાં જે અહંપણું આવ્યું તે અહંપણાનો અનુભવ ત્યાર બાદ ચોવીસે કલાક રહે છે.
૫. પ્રશ્ન- દ્રષ્ટિના વિષય સંબંધી આ બધું જાણવાથી વિકલ્પની ઉત્પત્તિ થાય છે અને તેથી અનુભવ થતો નથી ?
ઉત્તર:- અરે ભાઈ સાહેબ ! પહેલાં વિકલ્પની ઉત્પત્તિ થશે, પછી વિકલ્પનો અભાવ થશે ત્યારે અનુભવ થશે. તત્સંબંધી વિકલ્પની ઉત્પત્તિ થયા વગર વિકલ્પનો અભાવ થતાં અનુભવ થતો નથી. નહિ તો જે આત્મા સંબંધી વિકલ્પ આજ સુધી નહોતો તો તમે મોક્ષ સુધી કેમ ન પહોંચી ગયા ?
બોલો, હું તમને એક પ્રશ્ન પૂછું છું કે સાબુ લગાડવાથી કપડું સાફ થાય છે કે સાબુ ધોવાથી કપડું સાફ થાય છે ? જો લગાડવાથી સાફ થાય છે તો લગાડેલો જ રહેવા દો, ધોવો છો શા માટે ? અને જો ધોવાથી સાફ થાય છે તો લગાડો છો શા માટે ? શું સાબુ મફતમાં આવે છે ?
ભાઈસાહેબ ! ન તો કપડું સાબુ લગાડવાથી સાફ થાય છે કે ન તો સાબુ ધોવાથી સાફ થાય છે. કપડું તો સાબુ લગાડીને ધોવાથી સાફ થાય છે.
તેવી જ રીતે ન તો વિકલ્પથી આત્માનું કલ્યાણ થાય છે, કે ન તો વિકલ્પ વિના આત્માનું કલ્યાણ થાય છે; પરંતુ આત્મા સંબંધી વિકલ્પાત્મક જ્ઞાનમાં પહેલાં નિર્ણય કરીને પછી વિકલ્પનો નિષેધ કરતાં આત્માનો અનુભવ થાય છે. જ્યારે નિષેધ જ કરવાનો છે તો વિકલ્પ કરીએ જ નહિ, એમ નથી.
બોલો, આપણે નદી પાર કરવી છે તો હોડીમાં બેસવાથી નદી પાર થશે કે હોડીમાંથી ઉતરવાથી નદી પાર થશે ? અરે ભાઈ! ન તો